Mann Government : અમિત શાહે પંજાબની આપ સરકારના કર્યા વખાણ, ખાલિસ્તાન મુદ્દે કહી આ વાત
Mann Government : અમૃતપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખાલિસ્તાન મુદ્દે કરવામાં આવી રહેલી કાર્યવાહી બાબતે પંજાબની ભગવંત માનના નેતૃત્વવાળી આપ સરકારના વખાણ કર્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, પંજાબમાં કોઇ ખાલિસ્તાની લહેર નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ખાલિસ્તાનની કોઈ લહેર નથી. ઘણી વખત, કેટલાક લોકો પ્રયાસ કરે છે, પરંતુ સરકારોએ તેમનું કામ કર્યું છે. પંજાબ સરકારે સારું કામ કર્યું છે, કેન્દ્ર સરકારે સમર્થન આપ્યો છે. અમે સ્થિતિ પર નજીકથી મોનિટરિંગ કરી રહ્યા છીએ.

બેંગ્લોરમાં એક મીડિયા કોન્ક્લેવમાં ફરાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની શોધ વિશે પૂછવામાં આવતા, ગૃહ પ્રધાન શાહે જવાબ આપ્યો હતો કે, હાલ શોધ ચાલુ છે અને તે ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ હશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવાના થોડા અઠવાડિયા પહેલા શાહે જણાવ્યું હતું કે, થોડા સમય માટે આવું થઈ શકે છે. પહેલા તે મુક્તપણે ફરતા હતા, પરંતુ હવે તેઓ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકતા નથી.
લંડન અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કમિશન પરના તાજેતરના હુમલા અંગે ટિપ્પણી કરતા શાહે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતીય હાઈ કમિશન પરના કોઈપણ હુમલાને સહન કરશે નહીં અને ભારતીય કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અમે NIAને એટલી સક્ષમ બનાવી છે કે, તેઓ તપાસ કરી શકે કે વિદેશી ધરતી પર ભારત વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે કે કેમ. દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ભારતીય હાઈ કમિશનના રિપોર્ટના આધારે અમે તપાસ NIAને સોંપી છે.
નોંધનીય છે કે, 19 માર્ચના રોજ ખાલિસ્તાન બેનરો લઈને આવેલા દેખાવકારોએ પંજાબ પોલીસની કાર્યવાહી વિરુદ્ધ લંડનમાં હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાના વાયરલ વીડિયોમાં પ્રદર્શનકારી બાલ્કનીમાં ત્રિરંગો નીચે લાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયોના અંતમાં અન્ય એક વ્યક્તિ બાલ્કનીમાં પહોંચીને ખાલિસ્તાન સમર્થક પાસેથી તિરંગો છીનવી લેતો જોવા મળ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરનારા ખાલિસ્તાન સમર્થકોના આવા જ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.












Click it and Unblock the Notifications
