"આપણે ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ"
પીએમ મોદીએ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે.
પીએમ નરેન્દ્ર મોદી એ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે.

- નોકરી કરતી મહિલાઓ માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગર્ભવતી મહિલાઓને 26 અઠવાડિયાની રજા નક્કી કરવામાં આવી છે.
- દેશની મહિલાઓ પર પરિવારની બમણી જવાબદારી હોય છે, આથી જ અમે મેટરનિટી લીવનો ગાળો વધાર્યો છે, જેથી કોઇ નવજાત શિશુ સાથે અન્યાય ન થાય
- યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દો. પોતાને સ્વસ્થ તથા તણાવ-દબાવ મુક્ત રાખવા માટે યોગ સૌથી સારો ઉપાય છે.
- ડિપ્રેશનના શિકાર હોય એ વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરતા હોય છે, તેમને ડિપ્રેશનના સપ્રેશન કરતાં એક્સપ્રેશનની વધુ જરૂર હોય છે. જેઓ પોતાના લોકો વચ્ચે મન ખોલીને પોતાની વાત એક્સપ્રેસ ન કરી શકતા હોય, આજુ-બાજુના લોકો પ્રત્યે સેવાભાવથી જોડાઓ, તમારું દુઃખ આપોઆપ ઓછું થશે.
- 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. દુનિયામાં 35 કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર છે. આપણે આ અંગે વાત કરવી જોઇએ.
- સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે જાગૃત લોકો કહે છે કે, પેટ પણ ખાલી રાખો અને પ્લેટ પણ. આપણે પ્લેટમાં જરૂર કરતાં વધુ ચીજ-વસ્તુઓ લઇ લઇએ છીએ અને પછી વધેલો ખોરાક આમ જ ફેંકી દઇએ છીએ. શું કોઇએ ક્યારેય વિચાર્યું છે કે, જો આપણે ખાવાનું એઠુ ના છોડીએ તો કંઇ કેટલાયે ગરીબોનું પેટ ભરાઇ શકે છે.
- સ્વચ્છતા આંદોલન સાથે નહીં, પરંતુ આદત સાથે જોડાયેલી છે. ગંદકી વિરુદ્ધ મનમાં ગુસ્સો ઉત્પન્ન કરવો પડશે.
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ ની જુદી-જુદી રીતોમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી છે. 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ-જયંતિ છે અને તેમની જન્મ-જયંતિ પર ડિજિ-મેળાનું સમાપન થનાર છે.
- કાણા નાણાં વિરુદ્ધની લડાઇમાં આગળ વધવા માટે દેશવાસી એક વર્ષમાં 2500 કરોડ ડિજિટલ લેણ-દેણ કરવાનો સંકલ્પ કરી શકે છે?
- આ ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ છે. ભારતના આઝાદી આંદોલનમાં ગાંધીજી ની વિચારસરણીનું પ્રગટ સ્વરૂપ પહેલીવાર ચંપારણમાં જોવા મળ્યું હતું.
- ગાંધીજીએ સંઘર્ષ અને સર્જન બંન્ને શીખવ્યા, ગાંધીજી દેશની નસને પિછાણતા હતા. ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીની ગઠન શક્તિ સામે આવી હતી.
- આપણે ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યાં છે, અહીંથી જ ગાંધીજીએ ભારતમાં સ્વતંત્રતાની લડાઇ શરૂ કરી હતી. આ સત્યાગ્રહે આપણને જણાવ્યું કે, મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેટલું ખાસ અને બહાદુરીભર્યું હતું.
- દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લે
- પરિવર્તનની ઇચ્છા જ મજબૂત ભારત માટે આધારભૂત બનશે.
- સમાજમાં ઘણા લોકો ગરીબો માટે કંઇ ને કંઇ કરતા જોવા મળે છે.
- 1 દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરો.
- ન્યૂ ઇન્ડિયા કોઇ સરકારી કાર્યક્રમ નથી અને ના તો કોઇ સરકારી દળનો મેનોફેસ્ટો છે.
- દેશના વિકાસમાં તમામ દેશવાસીઓનું યોગદાન રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, તમામ 125 કરોડ ભારતીયોએ ન્યૂ ઇન્ડિયા બનાવવામાં પૂરી ક્ષમતાથી જોડાવું જોઇએ. આજે દેશવાસીઓના મનમાં આશા અને ઉમંગ છે, એ લોકો જ ભવ્ય અને દિવ્ય ભારત બનાવશે.
- દેશના યુવાઓને મારો અનુરોધ છે કે, જ્યારે પણ સમય મળે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ પર ચોક્કસ જજો. શહીદ ભગત સિંહ આપણા સૌની પ્રેરણા છે.
- 23 માર્ચના રોજ ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા રાજગુરુને અંગ્રેજોએ ફાંસી આપી હતી.
- હું બાંગ્લાદેશના તમામ સાથીઓને અભિનંદન આપું છું. તેમણે બાંગ્લાદેશને તેમને સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, ગુરુદેવ ટાગોર આપણો સહિયારો વારસો છે, તેમણે જ બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગાન લખ્યું હતું.
More From
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
