For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"આપણે ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ"

પીએમ મોદીએ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી એ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે.

narendra modi
  • નોકરી કરતી મહિલાઓ માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગર્ભવતી મહિલાઓને 26 અઠવાડિયાની રજા નક્કી કરવામાં આવી છે.
  • દેશની મહિલાઓ પર પરિવારની બમણી જવાબદારી હોય છે, આથી જ અમે મેટરનિટી લીવનો ગાળો વધાર્યો છે, જેથી કોઇ નવજાત શિશુ સાથે અન્યાય ન થાય
  • યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દો. પોતાને સ્વસ્થ તથા તણાવ-દબાવ મુક્ત રાખવા માટે યોગ સૌથી સારો ઉપાય છે.
  • ડિપ્રેશનના શિકાર હોય એ વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરતા હોય છે, તેમને ડિપ્રેશનના સપ્રેશન કરતાં એક્સપ્રેશનની વધુ જરૂર હોય છે. જેઓ પોતાના લોકો વચ્ચે મન ખોલીને પોતાની વાત એક્સપ્રેસ ન કરી શકતા હોય, આજુ-બાજુના લોકો પ્રત્યે સેવાભાવથી જોડાઓ, તમારું દુઃખ આપોઆપ ઓછું થશે.
  • 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. દુનિયામાં 35 કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર છે. આપણે આ અંગે વાત કરવી જોઇએ.
  • સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે જાગૃત લોકો કહે છે કે, પેટ પણ ખાલી રાખો અને પ્લેટ પણ. આપણે પ્લેટમાં જરૂર કરતાં વધુ ચીજ-વસ્તુઓ લઇ લઇએ છીએ અને પછી વધેલો ખોરાક આમ જ ફેંકી દઇએ છીએ. શું કોઇએ ક્યારેય વિચાર્યું છે કે, જો આપણે ખાવાનું એઠુ ના છોડીએ તો કંઇ કેટલાયે ગરીબોનું પેટ ભરાઇ શકે છે.
  • સ્વચ્છતા આંદોલન સાથે નહીં, પરંતુ આદત સાથે જોડાયેલી છે. ગંદકી વિરુદ્ધ મનમાં ગુસ્સો ઉત્પન્ન કરવો પડશે.
  • નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ ની જુદી-જુદી રીતોમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી છે. 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ-જયંતિ છે અને તેમની જન્મ-જયંતિ પર ડિજિ-મેળાનું સમાપન થનાર છે.
  • કાણા નાણાં વિરુદ્ધની લડાઇમાં આગળ વધવા માટે દેશવાસી એક વર્ષમાં 2500 કરોડ ડિજિટલ લેણ-દેણ કરવાનો સંકલ્પ કરી શકે છે?
  • આ ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ છે. ભારતના આઝાદી આંદોલનમાં ગાંધીજી ની વિચારસરણીનું પ્રગટ સ્વરૂપ પહેલીવાર ચંપારણમાં જોવા મળ્યું હતું.
  • ગાંધીજીએ સંઘર્ષ અને સર્જન બંન્ને શીખવ્યા, ગાંધીજી દેશની નસને પિછાણતા હતા. ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીની ગઠન શક્તિ સામે આવી હતી.
  • આપણે ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યાં છે, અહીંથી જ ગાંધીજીએ ભારતમાં સ્વતંત્રતાની લડાઇ શરૂ કરી હતી. આ સત્યાગ્રહે આપણને જણાવ્યું કે, મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેટલું ખાસ અને બહાદુરીભર્યું હતું.
  • દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લે
  • પરિવર્તનની ઇચ્છા જ મજબૂત ભારત માટે આધારભૂત બનશે.
  • સમાજમાં ઘણા લોકો ગરીબો માટે કંઇ ને કંઇ કરતા જોવા મળે છે.
  • 1 દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરો.
  • ન્યૂ ઇન્ડિયા કોઇ સરકારી કાર્યક્રમ નથી અને ના તો કોઇ સરકારી દળનો મેનોફેસ્ટો છે.
  • દેશના વિકાસમાં તમામ દેશવાસીઓનું યોગદાન રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, તમામ 125 કરોડ ભારતીયોએ ન્યૂ ઇન્ડિયા બનાવવામાં પૂરી ક્ષમતાથી જોડાવું જોઇએ. આજે દેશવાસીઓના મનમાં આશા અને ઉમંગ છે, એ લોકો જ ભવ્ય અને દિવ્ય ભારત બનાવશે.
  • દેશના યુવાઓને મારો અનુરોધ છે કે, જ્યારે પણ સમય મળે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ પર ચોક્કસ જજો. શહીદ ભગત સિંહ આપણા સૌની પ્રેરણા છે.
  • 23 માર્ચના રોજ ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા રાજગુરુને અંગ્રેજોએ ફાંસી આપી હતી.
  • હું બાંગ્લાદેશના તમામ સાથીઓને અભિનંદન આપું છું. તેમણે બાંગ્લાદેશને તેમને સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, ગુરુદેવ ટાગોર આપણો સહિયારો વારસો છે, તેમણે જ બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગાન લખ્યું હતું.
English summary
Prime Minister Narendra Modi will be addressing the nation of his radio programme Mann ki Baat on Sunday, March 26. It will be aired at 11 am on the All India Radio and Doordarshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X