દિલ્હીમાં આગનું તાંડવ, 3ના મોત, 100 ઝુપડીઓ સ્વાહા

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના અઘિકારીઓએ જણાવ્યા પ્રમાણે સૂચના મળતાની સાથે જ 20 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આગ બવાના વિસ્તારની જેજે કોલોનીમાં લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લોકોનું કહેવું છે છે કે વિજળીનો તાર વિસ્તારની ઝુપડીઓ પર પડવાથી આગ લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખાસ્સો ગુસ્સો છે અને લોકોએ જોરદાર તોડફોડ મચાવ્યો છે. પોલીસ અને પ્રશાસનિક અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે. જો કે, અત્યારસુધી કોઇપણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોની જાણ થઇ શકી નથી.












Click it and Unblock the Notifications
