મુંબઇના હિરાપન્ના મોલમાં લાગી ભિષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ હાજર, 14 લોકોને બચાવાયા
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આવેલા હીરા પન્ના મોલમાં શુક્રવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, મોલમાં ફસાયેલા 14 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે 3.15 વાગ્યાની આસપાસ બની હતી. અચાનક મોલમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ઈમારતને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. લોકો મોલની બહાર દોડી આવ્યા હતા. પરંતુ અંદર 14 લોકો ફસાઈ ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ તેને લેવલ થ્રીની આગ ગણાવી છે.

12 ફાયર એન્જિન સહિત 25 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મોલમાં ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે મુંબઈના કુર્લા સ્થિત 12 માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 60 લોકોનો જીવ જોખમમાં હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગૂંગળામણથી પીડાતા તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
#WATCH | Mumbai: A level 3 fire broke out in the Hira Panna Mall of the Jogeshwari area. No injuries have been reported: BMC https://t.co/UtKboIZKxF pic.twitter.com/mLYUpQe94n
— ANI (@ANI) September 22, 2023
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
