માયાવતીના મહાસમ્મેલને અખિલેશ સરકારની ઉડાવી ઊંઘ!
બસપા તરફથી હજી સુધી રાજ્યમાં અલગ-અલગ સ્થાનો પર બ્રાહ્મણ સમ્મેલન આયોજિત થતા રહ્યા છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે બસપાના બ્રાહ્મણ ચહેરા સતિશ મિશ્ર હાજરી આપતા રહ્યા છે. પાર્ટીના પાછલા એક મહીનાથી ચાલી રહેલા સંમ્મેલનોનું સમાપન બસપાની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી કરશે.
આની વચ્ચે માયાવતીની મહારેલીઓના અનુભવના પગલે તંત્રએ શનિવારે રાત્રે આઠ વાગ્યાથી જ વાહનવ્યવહાર માર્ગોમાં પરિવર્તન કરવાની જાહેરાત કરી દીધી હતી. પ્રશાસન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મહાસમ્મેલન દરમિયાન શહીદ પથ પુલની નીચે રાયબરેલી રોડથી રેલી સ્થળ તરફ વાહન પસાર કરવા નહી દેવાય.
તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે વાહનોની પાર્કિંગ માટે પહેલાથી જ સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે. રાયબરેલી, સુલ્તાનપુર અને ફૈઝાબાદ રોડ તરફથી આવનાર વાહન વૃંદાવન યોજનામાં પાર્ક કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સીતાપુર અને દરદોઇ રોડ તરફથી આવનાર વાહનો આખિયાનાના રતનખંડમાં પાર્ક કરવામાં આવશે. કાનપુર તરફથી આવનાર વાહનોને માનસરોવર યોજનામાં પાર્ક કરવામાં આવી શકાશે.