For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન-એમપીમાં રાજકીય દુશ્મનાવટના કેસ પાછા લો નહિતર સમર્થન પાછુઃ માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાની ધમકી આપી છે.

|
Google Oneindia Gujarati News

બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાની ધમકી આપી છે. બસપા સુપ્રીઓએ કહ્યુ છે કે ભાજપના શાસનકાળમાં રાજકીય અને જાતિગત દ્વેષના કારણે આ રાજ્યોમાં લોકો સામે નોંધાયેલા કેસ પાછા લેવામાં આવે નહિતર બસપા આ બંને રાજ્યોમાં પોતાનું સમર્થન પાછુ લઈ લેશે. માયાવતીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.

mayawati

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના વિધિ તેમજ વિધાયી કાર્યમંત્રી પી સી શર્માએ કહ્યુ હતુ કે પૂર્વની ભાજપ સરકારમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે રાજકારણથી પ્રેરિત થઈને નોંધાવેલા કેસ પાછા લેવામાં આવશે. પી સી શર્માએ કહ્યુ હતુ, 'હું પોતાના વિભાગના પ્રમુખ સચિવ સાથે જલ્દી આ મામલે પ્રસ્તાવ તૈયાર કરવા અંગે વાત કરીશુ. પ્રસ્તાવ તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી કરવા માટે સીએમ કમલનાથી સામે રજૂ કરવામાં આવશે.'

તેમણે કહ્યુ હતુ કે આંદોલનોમાં શામેલ થનારા સરકારી કર્મચારીઓ અને નેતાઓ સામે નોંધાયેલા કેસો પાછા લેવા માટે વિચાર કરવામાં આવશે. હવે કોંગ્રેસ મંત્રીના આ નિવેદન બાદ બસપા સુપ્રીમોનું નિવેદન આવ્યુ છે ત્યારબાદ રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચોઃ 'સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યાઆ પણ વાંચોઃ 'સૂર્પણખાથી લઈ વિંછી... ' સુધી ખાનગી હુમલાઓના એ તીર જે 2018માં ખૂબ ચાલ્યા

English summary
mayawati demands withdrawal of cases against bsp leaders in madhya pradesh and rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X