Mayawati News : માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તમામ પદો પરથી હટાવ્યા, જાણો કેમ?
Mayawati News : બહુજન સમાજ પાર્ટીના (BSP) રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદોથી હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નિર્ણય અખિલ ભારતીય BSP અધિકારીઓની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે તેના ભાઈ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી છે.

આ બેઠકમાં મહાકુંભ, મોંઘવારી, ગરીબી, બેરોજગારી અને અન્ય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. માયાવતીએ યોગી સરકારને સલાહ આપી કે, કથન અને કાર્ય વચ્ચે તફાવત ન રહે.
તેમણે કહ્યું કે કેન્દ્ર અને યુપી સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવતા દાવાઓ હકીકતથી દૂર છે. કરોડો ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોની સ્થિીમાં કોઈ આર્થિક સુધારા નથી થયા.
BSP અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે પક્ષ અને આંદોલન માટે કોઈપણ વ્યક્તિ જો નુકસાન પહોંચાડશે તો તે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. આકાશ આનંદના સસરા અશોર સિદ્ધાર્થને પણ BSPમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
માયાવતીએ સ્પષ્ટ કર્યું કે BSPના પિતા કાંશીરામે કદી પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું નથી અને પાર્ટીના હિતમાં આકાશ આનંદને તમામ જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, પહેલા માયાવતીએ તેના ઉત્તરાધિકારી તરીકે આકાશ આનંદને નિયુક્ત કર્યા હતા. જો કે આ પછી તેને પદ પરથી હટાવી દેવાયા. હવે માયાવતીએ પક્ષના તમામ પદો પરથી આકાશ આનંદને દુર કર્યા છે.












Click it and Unblock the Notifications
