For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદ વચ્ચે મેઘાલય સરકાર આસામ સરહદ પર 7 ચોકી બનાવશે, કેબિનેટ મંજુરી આપી

મેઘાલય અને આસામ વચ્ચે સરહદ વિવાદને લઈને ખુની સંઘર્ષ થઈ ચુક્યો છે ત્યારે હવે મેઘાલય સરકારે મોટો નિર્ણય લીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મેઘાલય અને આસામ વચ્ચે સરહદ વિવાદને લઈને ખુની સંઘર્ષ થઈ ચુક્યો છે ત્યારે હવે મેઘાલય સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતી વિગતો અનુસાર, આ નિર્ણય મેઘાલય સરકાર દ્વારા આ નિર્ણય આસામ-મેઘાલય બોર્ડર પર થયેલી હિંસક અથડામણને ઓછી કરવા માટે લેવામાં આવી રહ્યો છે.

Meghalaya

હાલમાં જ બોર્ડર પર હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા હતા. હિંસા દરમિયાન ગોળીબારમાં મેઘાલયના પાંચ અને આસામના એક વન રક્ષક સહિત છ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને સરહદ પર તણાવની સ્થિતી છે.

વિવાદો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અઘ્યક્ષતામાં શિલોંગમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હવે કેબિનેટે મેઘાલયમાં સરહદી વિસ્તારોમાં સંવેદનશીલ સ્થળોએ ચોકી બનાવવાની મંજૂરી આપી છે.

મળતી વિગતો અનુસાર, આ પોસ્ટ પૂર્વ જૈનતિયા હિલ્સમાં મુરિયપ, પશ્ચિમ જયંતિયા હિલ્સમાં મુક્રોહ અને તિહવેહ, રાની-જિરાંગ, ઉમવાલી, રી-ભોઈમાં લેજાડુબી અને પશ્ચિમ ખાસી હિલ્સમાં લાંગપીહ ખાતે સ્થાપિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ચોકીઓના નિર્માણ માટે ઝડપથી કામગીરી કરવા કહ્યુ છે.

આ બાબત મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, બ્લોક 2ની સરહદે આવેલા રી ભોઈ જિલ્લા માટે પણ ચેકપોસ્ટ સ્થાપવા સૂચનો હતા. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પોલીસ મહાનિર્દેશક મેઘાલયને વિસ્તારોની મુલાકાત લેવા અને બ્લોક 2 ના વિસ્તારો માટે પ્રસ્તાવ લાવવા કહ્યું છે.

English summary
Meghalaya government to set up 7 posts on Assam border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X