BCCI ચીફ શ્રીનિવાસનના પુત્રએ કહ્યું-'મેયપ્પનના છે બુકીઝ સાથે સંબંધ'
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં આશ્વિને કહ્યું કે મેયપ્પન આઇપીએલ-6ની શરૂઆત થતા પહેલા જ બુકીઝના સંપર્કમાં હતો. આશ્વિને આરોપ લગાવ્યો કે મેયપ્પનના દુબઇ અને ચેન્નાઇના બુકિઝ સાથે સંપર્ક બંનેલા છે. મેયપ્પનના આ સંબંધો ખૂબ જ જુના છે.
બીજી બાજુ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે મયપ્પનને સોમવાર સુધીનો સમય આપવાનો ઇનકાર કરી દીધો છે. મેયપ્પને મુંબઇ પોલીસને પત્ર લખીને હાજર રહેવા સોમવાર સુધીનો સમય માંગ્યો હતો. સ્પોટ ફિક્સિંગ મામલાની તપાસનો વ્યાપ વધારતા મુંબઇ પોલીસે ગુરુનાથ મેયપ્પનને શુક્રવાર સાંજ સુધી તેમના સંપર્કમાં રહેવાનો આદેશ આપ્યો હતો. મુંબઇ પોલીસે આઇપીએલ સટ્ટેબાજી પ્રકરણના સંબંધમાં પૂછપરછ માટે ચેન્નાઇ સુપરકિંગ્સના સીઇઓ મેયપ્પનને આજે પોતાની સમક્ષ હાજર રહેવા સમન પાઠવ્યું છે.
ક્રાઇમ બ્રાંચના સૂત્રએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યુ છે કે આ આગ્રહ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આઇપીએલ સટ્ટેબાજી પ્રકરણમાં પોતાની તપાસ જડપી કરતા મુંબઇ પોલીસે ચેન્નાઇ સુપરકિગ્સના સીઇઓ ગુરુનાથ મેયપ્પનને સમન જારી કરી આજે પૂછપરછ માટે હાજર થવા માટે જણાવ્યું છે. આ મામલે ધરપકડ કરતાયેલા અભિનેતા વિંદુ, રંધાવાના સતત સંપર્કમાં રહેવાના કારણે પોલીસ તેમની પૂછપરછ કરવા માગે છે.
ઉપાયુક્ત સત્યનારાયણ ચોધરીની આગેવાનીમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ચાર સભ્યોવાળી ટીમને સમનની સાથે મેયપ્પનની પૂછપરછ કરવા માટે ચેન્નાઇ મોકલવામાં આવી છે. મેયપ્પનને મુંબઇમાં ક્રાઇમ બ્રાંચની સમક્ષ શુક્રવારે સવારે 11 વાગ્યે સાંજે પાંચ વાગ્યાની વચ્ચે હાજર રહેવા કહેવાયું છે.