કાશ્મીરમાં મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનું મોત
જમ્મુ/કાશ્મીર, 27 મે: એક બાજું દિલ્હીમાં નવી સરકારની રચના થઇ રહી છે. નવા મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે બીજી બાજું દેશમાં ઘણી એવી ઘટનાઓ ઘટી રહી છે જે આપણને દુ:ખી કરી દે. ગઇકાલે એક ટ્રેન અકસ્માત થયો હતો. જ્યારે આજે વાયુદળનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે સવારે ભારતીય વાયુદળનું એક મિગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ દુર્ઘટનામાં પાયલટનું પણ મોત થવા પામ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મિગ-21 લડાકુ વિમાન મંગળવારે સવારે દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લાના મરહમા (બિજબેહરા) ગામમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ સ્થળ શ્રીનગરથી 45 કિલોમીટર દૂર છે. આ દૂર્ઘટનામાં વિમાનના પાયલટ સ્ક્વોડ્રન લીડર રઘુ બંસીનું મોત થઇ ગયું છે.
જોકે હવે જોવાનું એ રહે છે કે અવાર નવાર બની રહેલી આવી દુર્ઘટના અંગે મોદી સરકાર શું પગલા ભરે છે.