દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણ માટે ગ્રીન વોર રૂમ કરાયો લોન્ચ, 12 સભ્યોની ટીમ કરશે મિનિટરીંગ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગ્રીન વોર રૂમનું લોકાર્પણ કર્યુ હતુ. ગોપાલ રાયે કહ્યું કે ગ્રીન વોર રૂમની 12 સભ્યોની ટીમનું નેતૃત્વ પર્યાવરણ એન્જિનિયર બીએમએસ રેડ્ડી કરશે. આ સાથે જ ગ્રીન વોર રૂમમાં પ્રદૂષણ સાથે સંબંધિ
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગ્રીન વોર રૂમનું લોકાર્પણ કર્યુ હતુ. ગોપાલ રાયે કહ્યું કે ગ્રીન વોર રૂમની 12 સભ્યોની ટીમનું નેતૃત્વ પર્યાવરણ એન્જિનિયર બીએમએસ રેડ્ડી કરશે. આ સાથે જ ગ્રીન વોર રૂમમાં પ્રદૂષણ સાથે સંબંધિત પરિબળોનું વધુ સારી રીતે વિશ્લેષણ કરવાની જવાબદારી વૈજ્ઞાનિક ડૉ.નંદિતા મિત્રાને સોંપવામાં આવી છે. આ ટીમ પ્રાથમિક પ્રદૂષકોના સ્તર, પ્રદૂષણને કાબૂમાં લેવાના પગલાં અને ગ્રીન દિલ્હી એપ દ્વારા મળેલી ફરિયાદોની સ્થિતિ પર નજર રાખશે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે ઘણી એજન્સીઓ કામ કરી રહી છે. આ એજન્સીઓના સંકલન માટે ગ્રીન વોર રૂમ બનાવવામાં આવ્યો છે. પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવા અને ખુલ્લા કચરાને બાળવા સંબંધિત સેટેલાઇટ ડેટાનું પણ ગ્રીન વોર રૂમમાં વિશ્લેષણ કરવામાં આવશે. આ વોર રૂમના સભ્યો ગ્રીન દિલ્હી એપ પર મળેલી ફરિયાદોની સંખ્યા સંબંધિત 30 વિભાગો સુધી પહોંચવા અને તેનું નિરીક્ષણ કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે ગ્રીન દિલ્હી એપ પર અત્યાર સુધીમાં 54,156 ફરિયાદો મળી છે. જેમાંથી 90% ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ગ્રીન દિલ્હી એપ પર, MCD દ્વારા 32,573, PWD વિભાગ દ્વારા 9,118 અને DDA દ્વારા 3,333 ફરિયાદો મળી છે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીના લોકોને તેમના મોબાઈલ ફોનમાં ગ્રીન દિલ્હી એપ ડાઉનલોડ કરવાની અપીલ છે. જો દિલ્હીમાં ક્યાંય પણ બાંધકામનું કામ ચાલી રહ્યું છે અને નિયમોનું પાલન નથી થઈ રહ્યું તો ગ્રીન દિલ્હી એપ પર તેની ફરિયાદ કરો. આંખ અને કાન બનીએ તો સાથે મળીને પ્રદૂષણ ખતમ કરી શકીશું. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 30 સપ્ટેમ્બરે વિન્ટર એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. તે એક્શન પ્લાન હેઠળ, 1 ઓક્ટોબરથી દિલ્હીની અંદર ગ્રેપ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. વિન્ટર એક્શન પ્લાન હેઠળ વિભાગોએ તેમની કામગીરી શરૂ કરી દીધી છે. દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2012 થી 2021 સુધીમાં PM-10 માં 40 ટકા અને PM-2.5 માં 31 ટકાનો ઘટાડો થયો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
