For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ડોંડિયા ખેડામાં 15 ફૂટના ખોદકામ બાદ જશે ચમત્કાર’

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ, 22 ઓક્ટોબરઃ યુપીના ડોંડિયાખેડામાં ‘મહાખજાનાની શોધ' પર મચેલા ઘમાસાણ વચ્ચે સંત શોભન સરકાર પોતાના દાવા પર અડગ છે. શોભન સરકારે કહ્યું કે, 15 ફૂટની ઉંડાઇ સુધી ખોદકામ કરવામાં આવ્યા બાદ મોટો ચમત્કાર થશે. નોંધનીય છે કે એએસઆઇના અનેક અધિકારીઓ પણ ખજાનો મળવાની સંભાવનાને ખારીજ કરી ચૂક્યા છે.

unnao-temple
સંત પરમહંસ સ્વાવી વિરક્તનંદ ઉર્ફે શોભન સરકારે સોમવારે ગંગા કિનારે બનેલા પોતાના બક્સર આશ્રમમાં ભક્તો સાથે મુલાકાત કરી. શોભન સરકાર તરફથી આ દરમિયાન તેમના શિષ્ય ઓમજી મહારાજે કહ્યું છે કે, અદાંજે દોઢ મીટર ખોદકામ કરવામાં દીવાલ, કાંચના ટૂકડા, માટીના તુટેલા વાસણ અને ખંભા મળ્યા છે, જ્યારે 15 ફૂટ ઉંડે ખોદકામ કરવામાં આવશે, તો મોટો ચમત્કાર થશે.

પરોક્ષ રીતે સંતે ફરી એકવાર કિલ્લા નીચે સોનાનો મહાખજાનો હોવાનો દાવો કર્યો છે. જો કે, ભારતીય પુરતાત્વ સર્વેક્ષણના અધિકારી પહેલા જ મહાખજાનો હોવા અંગેની વાતને નકારી ચૂક્યા છે. પાંચમાં દિવસે પોલીસની હાજરીમાં ખોદકામ કરવામા આવ્યું હતું.

English summary
miracle will happen after excavation of 15 feet in daundiya kheda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X