ઘાસમાંથી ભારતને મળી પતંગિયાની નવી પ્રજાતિ
પતંગિયાઓ અને પતંગાઓનો અભ્યાસ કરનારા જંતુ વિજ્ઞાનીપીટર સ્મેટાસેકે પોતાના પુસ્તક "બટરફ્લાઇઝ ઓન ધ રૂફ ઓફ ધ વર્લ્ડ"માં આ માહિતી આપી છે. ઉત્તરાખંડના રહેવાસી સ્મેટાસેકે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે એક વાર હું ખુલ્લા મેદાનમાં ઉભો રહીને એક આગંતુક સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે જ એક માદા પતંગિયાએ ઘાસ પર ઇંડા આપ્યા. મેં આ સુવર્ણ તકને હાથમાંથી જવા ના દીધી અને ઘાસને એકત્ર કર્યું.
તેમણે આગળ જણાવ્યું છે કે મેં ઇંડામાંથી જન્મેલા ફુદ્દાઓને પાળ્યા. સ્મેટાસેકે જોયું કે બાથ વ્હાઇટ પ્રજાતિનું આ પતંગિયું જે ઘાસ ઉપર વિકસિત થાય છે તેનું નામ વર્જિનિયા પેપરગ્રસ અને લેપિડિયમ વર્જિનિકમ છે.
તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ ઘાસ 1950માં અમેરિકાથી અનાજની સાથે ભૂલથી ભારતમાં આવી ગયું હતું. ત્યાર બાદ તે ઝડપથી દેશમાં ફેલાઇ ગયું. 20મી સદીમાં આ ઘાસ હિમાલયની પર્વતમાળા વિસ્તારમાં ફેલાયું. આ કારણે વિસ્તારમાં વ્હાઇટ બાથ બટરફ્લાયની સંખ્યા વધી.
આ પતંગિયું 21 એપ્રિલ, 1961માં નૈનિતાલના ભીમતાલ કસ્બામાં સૌથી પહેલા જોવા મળ્યું હતું. ત્યાર બાદ આ પતંગિયા અહીં જ રહેલા લાગ્યા. આ પતંગિયા નેપાળના પૂર્વ વિસ્તારમાં પણ જોવા મળે છે.