મોદી અને અડવાણીનો એક મત : મતદાન ફરજિયાત બનાવો
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી વચ્ચેના મન ભેદ અને મત ભેદોએ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ મુદ્દે અવાર નવાર કોઇને કોઇ મુદ્દો ઉપસ્થિત થતો રહે છે. ભાજપ માટે આ બાબત નકારાત્મક બની શકે તેવું કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે. જો કે તાજેતરમાં 36નો આંક ધારવતા બંને નેતાઓ એક મુદ્દે એકમત જોવા મળ્યા હતા. જી હા. આપને નવાઇ થશે. પણ હકીકત છે કે મતદાન મુદ્દે બંને એકમત થયા છે. આ મુદ્દે બંનેએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નન ઓફ દ એબોવ ઓપ્શન - NOAO (ઉપરના વિકલ્પમાંથી એક પણ નહીં)ને મંજુરી આપ્યા બાદ હવે પછી યોજાનારી દરેક ચૂંટણીઓમાં તેનો ઉપયોગ થવાનો છે ત્યારે બંને નેતાઓએ જણાવ્યું છે કે નન ઓફ દ એબોવ ઓપ્શનની સાથે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.

આ અંગે અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે હું સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારું છું અને માનું છું કે નાગરિકો પાસે નેગેટિવ વોટિંગનો અધિકાર હોવો જોઇએ. આ જોગવાઇની સાથે મતદાન ફરજિયાત બનાવવું જોઇએ.
નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીને ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અઘ્યક્ષ બનાવવાની સાથે પીએમ પદના ઉમેદવાર બનાવવાનો વિરોધ કરનારા અડવાણીએ મતદાન ફરજિયાતની દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ આરંભવાનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં મતદાનને ફરજિયાત બનાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. આ માટે નરેન્દ્ર મોદીએ બે વાર વિધાનસભામાં આ સંદર્ભનું બિલ પાસ કરાવ્યું છે. જોકે રાજ્યપાલ અને દિલ્હી તરફથી તેને હજી સુધી મંજુરી મળી શકી નથી.
અડવાણીએ જણાવ્યું કે વિશ્વમાં 31 દેશોમાં વોટિંગ ફરજિયાત છે. જો કે તેમાંથી માત્ર 12 જેટલા દેશો વિવિધ જોગવાઇઓ કરીને તેને વાસ્તવમાં અમલી બનાવી શક્યા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
