મોદી સહિત 8 નેતાઓમાંથી PM પદનો ઉમેદવાર હશે: મુખ્તાર અબ્બાસ નકવી
અગરતલામાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સંસદીય બોર્ડ યોગ્ય સમયે પાર્ટીના વરિષ્ઠ આઠ નેતાઓમાંથી એકને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે આ મુદ્દે પાર્ટીમાં કોઇ અસમંસજસ કે મતભેદ નથી.
ત્રિપુરામાં 14 ફેબ્રુઆરીએ થનારી વિધાનસભાની ચુંટણી માટે પાર્ટી ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ આ વાત કહી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ઓછામાં ઓછી આઠ મહત્વપૂર્ણ પાર્ટીઓ એનડીએ ગઠબંધનમાં સામેલ થવા જઇ રહી છે. આ પાર્ટીઓના નામ અંગે ખુલાસો કરવાની મનાઇ કરતાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓ ગઠબંધન સાથે કામ કરી ચૂકી છે.
કોંગ્રેસ નેતૃત્વવાળી યૂપીએ ગઠબંધન પર પ્રકાર કરતાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે મનમોહન સિંહ વડાપ્રધાન તો છે પરંતુ રિમોટ કંટ્રોલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથમાં છે.