મોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી

પાલઘર, 13 ઓક્ટોબર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માછીમારો સાથે જુનો સંબંધ છે. આ ગુજરાતને અડીને આવેલો છે અને પાલઘર-ગુજરાત સુખ-દુખના સાથી છે. હું વડાપ્રધાન બન્યા પછી સૌથી પહેલાં કોઇ વિદેશી નેતા સાથે વાત તો માછીમાર ભાઇઓની પરેશાની વિશે વાત કરી. હું પાકિસ્તાનના પાકિસ્તાને 200 માછીમારોને મુક્ત કર્યા.

તમને જણાવી દઇએ કે પાલઘરને તાજેતરમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને આ જીલ્લાની બોર્ડર ગુજરાતને અડે છે અને અહીંયા માછીમારોની સંખ્યા ખૂબ વધુ છે. એટલા માટે વડાપ્રધાને તેમને આકર્ષવાનો પ્રયત્નો કર્યો. તેમણે પાલઘરમાં વસવાટ કરતાં દક્ષિણ ભારતના લોકોના દિલમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો.

modi4

વડાપ્રધાને કહ્યું કે કેરલ ગરીબ પરિવારની પુત્રીઓ ઇરાકમાં સેવાનું કામ કરતી હતી. આ પુત્રીઓ આતંકવાદીના કબજામાં હતી. તેની સુરક્ષિત વાપસીને સુનિશ્વિત કરી. તેમછતાં કોંગ્રેસ અમને પૂછે કે મોદીએ 60 દિવસમાં શું કર્યું.? હું વડાપ્રધાનના ઘરમાં જન્મ્યો નથી. હું તમને જવાબ કેમ આપું? હું દેશની જનતાના પ્રત્યે જવાબદેહ છું. હું દેશની જનતાને જવાબ આપીશ. કોંગ્રેસે 60 વર્ષોનો હિસાબ આપ્યો છે શું જે અમારી પાસે 60 દિવસોનો જવાબ માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસના પ્રચાર અભિયાનમાં બધી રાજકીય પાર્ટીઓએ પોતાની પુરી તાકાત લગાવી દિધી છે. લગભગ એક મહિનાથી બંને પ્રદેશના માર્ગો પર ધૂળ ઉડાડતી ગાડીઓના પૈડાં સાંજે છ વાગે અટકી જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન 15 ઓક્ટોબરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X