મોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી
પાલઘર, 13 ઓક્ટોબર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માછીમારો સાથે જુનો સંબંધ છે. આ ગુજરાતને અડીને આવેલો છે અને પાલઘર-ગુજરાત સુખ-દુખના સાથી છે. હું વડાપ્રધાન બન્યા પછી સૌથી પહેલાં કોઇ વિદેશી નેતા સાથે વાત તો માછીમાર ભાઇઓની પરેશાની વિશે વાત કરી. હું પાકિસ્તાનના પાકિસ્તાને 200 માછીમારોને મુક્ત કર્યા.
તમને જણાવી દઇએ કે પાલઘરને તાજેતરમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને આ જીલ્લાની બોર્ડર ગુજરાતને અડે છે અને અહીંયા માછીમારોની સંખ્યા ખૂબ વધુ છે. એટલા માટે વડાપ્રધાને તેમને આકર્ષવાનો પ્રયત્નો કર્યો. તેમણે પાલઘરમાં વસવાટ કરતાં દક્ષિણ ભારતના લોકોના દિલમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો.

વડાપ્રધાને કહ્યું કે કેરલ ગરીબ પરિવારની પુત્રીઓ ઇરાકમાં સેવાનું કામ કરતી હતી. આ પુત્રીઓ આતંકવાદીના કબજામાં હતી. તેની સુરક્ષિત વાપસીને સુનિશ્વિત કરી. તેમછતાં કોંગ્રેસ અમને પૂછે કે મોદીએ 60 દિવસમાં શું કર્યું.? હું વડાપ્રધાનના ઘરમાં જન્મ્યો નથી. હું તમને જવાબ કેમ આપું? હું દેશની જનતાના પ્રત્યે જવાબદેહ છું. હું દેશની જનતાને જવાબ આપીશ. કોંગ્રેસે 60 વર્ષોનો હિસાબ આપ્યો છે શું જે અમારી પાસે 60 દિવસોનો જવાબ માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસના પ્રચાર અભિયાનમાં બધી રાજકીય પાર્ટીઓએ પોતાની પુરી તાકાત લગાવી દિધી છે. લગભગ એક મહિનાથી બંને પ્રદેશના માર્ગો પર ધૂળ ઉડાડતી ગાડીઓના પૈડાં સાંજે છ વાગે અટકી જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન 15 ઓક્ટોબરના રોજ થશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
