મોદી સરકારે લગાવ્યો ઈ-સિગરેટ પર પ્રતિબંધ, જેલ સાથે 5 લાખ સુધીનો દંડ
કેન્દ્રીય કેબિનેનટની બુધવારે મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેનટની બુધવારે મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેબિનેટે નિર્ણય પર અમલ માટે લાવવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ મીટિંગમાં પાસ કરાયેલા પ્રસ્તાવો વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી.

ઈ-સિગરેટ પર લાગ્યો પ્રતિબંધ
નાણામંત્રી નિર્મલા સીતારણે કેબિનેટમાં પાસ પ્રસ્તાવો વિશે માહિતી આપતા કહ્યુ કે સરકાર દ્વારા ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, ‘ઈ-સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, પ્રોડક્શન અને વેચાણ, વિતરણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ઈ-સિગરેટના પ્રમોશન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ, એવા રિપોર્ટ્સ છે કે આની 400થી વધુ બ્રાંડ છે જેમાંથી હજુ સુધી કોઈ પણ ભારતમાં નિર્મિત નથી અને તે 150થી વધુ ફ્લેવરમાં આવે છે.'
|
કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
તમને જણાવી દઈએ કે હાલમાં જ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ દ્વારા પ્રોહિબિશન ઑફ ઈ-સિગરેટ ઑર્ડિનન્સ 2019ની તપાસ કરવામાં આવી હતી. ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે આમાં સામાન્ય સૂચન આપ્યા હતા. વાસ્તવમાં ઈ-સિગરેટનું સેવન કરવાથી વ્યક્તિને ડિપ્રેશન થવાની સંભાવના વધી બમણી થઈ જાય છે. એક શોધ મુજબ જે લોકો ઈ-સિગરેટનુ સેવન કરે છે તેમને હાર્ટ એટેકનો ખતરો 56 ટકા સુધી વધી જાય છે. વળી, લાંબા સમય સુધી આનુ સેવન કરવાથી બ્લડ ક્લોટની સમસ્યા પણ થઈ શકે છે.
|
3 વર્ષની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ
આ વટહુકમમાં હેલ્થ મિનિસ્ટ્રીએ પહેલી વાર નિયમોના ઉલ્લંઘન પર એક વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાના દંડનો પ્રસ્તાવ આપ્યો છે. વળી, એકથી વધુ વાર નિયમ તોડવા પર મિનિસ્ટ્રીએ 5 લાખ રૂપિયા દંડ અને 3 વર્ષ સુધીની જેલની ભલામણ કરી છે. ઈ-સિગરેટ, હીટ-નૉટ-બર્ન સ્મોકિંગ ડિવાઈસિઝ, વેપ એન્ડ ઈ-નિકોટિન ફ્લેવર્ડ હુક્કા જેવા વૈકલ્પિક ધૂમ્રપાન ઉપકરણો પર પ્રતિબંધ લગાવવા મોદી સરકારના પહેલા 100 દિવસના એજન્ડાની પ્રાથમિકતાઓમાં શામેલ હતુ. ઈ-સિગરેટ એક રીતનુ ઈલેક્ટ્રોનિક ઈન્હેલર હોય છે જેમાં નિકોટીન અને અન્ય રસાયણયુક્ત તરલ ભરવામાં આવે છે. ઈએનડીએસ એવો ઉપકરણોને કહેવામાં આવે છે જેમનો ઉપયોગ કોઈ પ્રવાહીને ગરમ કરીને એરોસોલ બનાવવા માટે કરવામાં આવે છે જેમાં વિવિધ ફ્લેવર હોય છે પરંતુ ઈ-સિગરેટમાં જે લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણી વાર નિકોટિન હોય છે અને ઘણી વાર વધુ ખતરનાક રસાયણ હોય છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
