પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની યાદમાં મોદી સરકાર દિલ્હીમાં બનાવશે મેમોરિયલ, કેબિનેટ બેઠક બાદ નિર્ણય
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. કેન્દ્ર સરકારે પૂર્વ પીએમના સન્માનમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની વિનંતીના જવાબમાં આ નિર્ણય આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અખબારી યાદી દ્વારા ડૉ. સિંહના યોગદાનને યાદ કરવા અને સન્માન આપવા માટે દિલ્હીમાં સ્મારક બનાવવાની માહિતી શેર કરી હતી. કોંગ્રેસે શુક્રવારે ડો. મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાની માંગ કરી હતી, જેઓ 2004 થી 2014 સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વડાપ્રધાન હતા.

કેબિનેટ બેઠક બાદ તરત કરાઈ જાહેરાત
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારોને ડૉ. સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાના સરકારના નિર્ણય વિશે સીધી માહિતી આપી હતી. આ જાહેરાત કેબિનેટની બેઠક બાદ તરત જ અને ડૉ. સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે કરવામાં આવી હતી.
અંતિમ સંસ્કારનું સ્થળ નક્કી કરવામાં વિલંબ
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ ડૉ. સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ નક્કી કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું અપમાન ગણાવ્યું હતું, જોકે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પૂર્વ પીએમ મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાની મોટી જાહેરાત કરીને બધાના દિલ જીતી લીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
