પાંચ રાજ્યોના રાજ્યપાલોને બદલશે મોદી સરકાર, કોની ચમકશે કિસ્મત
નવી દિલ્હી, 17 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પાંચ રાજ્યોમાં રાજ્યપાલને બદલવાનો વિચાર કરી રહ્યા છે. આ રાજ્યપાલોની નિમણૂંક યૂપીએ સરકારમાં થઇ હતી.
મીડિયા રિપોર્ટો અનુસાર કેન્દ્રની નવી સરકાર કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલોને બદલવા પર વિચાર કરી રહી છે. દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત કેરળની, બીએલ જોશી ઉત્તર પ્રદેશ, રામ નરેશ યાદવ મધ્ય પ્રદેશ, એમકે નારાયણ પશ્ચિમ બંગાળ અને શિવરાજ પાટિલ પંજાબના રાજ્યપાલ છે.
વડાપ્રધાન કાર્યાલયે કથિત રીતે આ વર્ષે સેવાનિવૃત્ત થનારા ઓછામાં ઓછા આઠ રાજ્યપાલોના કાર્યકાળની સમીક્ષા મંગાવી છે.
એનડીએ સરકાર કેટલાંક મહીનાઓમાં સેવાનિવૃત્ત થનારા રાજ્યપાલોને બદલવાનો વિચાર નથી કરી રહી. રિપોર્ટ અનુસાર જોશીને મહારાષ્ટ્રના રાજ્યપાલ, જ્યારે બાડમેરથી નિર્દલીય ચૂંટણી લડનારા જસવંત સિંહને તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.
ચર્ચા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓને જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે, તેમને રાજ્યપાલ બનાવી શકાય છે. આવો એક નજર કરીએ નવા રાજ્યપાલ તરીકે કોના કોના નામની ચર્ચા થઇ રહી છે.

રાજ્યપાલ માટેના સંભવિત નામો
મુરલી મનોહર જોશી

રાજ્યપાલ માટેના સંભવિત નામો
લાલજી ટંડન

રાજ્યપાલ માટેના સંભવિત નામો
કેસરીનાથ ત્રિપાઠી

રાજ્યપાલ માટેના સંભવિત નામો
વીકે મલ્હોત્રા

રાજ્યપાલ માટેના સંભવિત નામો
કલ્યાણ સિંહ

રાજ્યપાલ માટેના સંભવિત નામો
શાંતા કુમાર

રાજ્યપાલ માટેના સંભવિત નામો
બીસી ખંડૂરી












Click it and Unblock the Notifications
