મોંઘવારી પર સંસદમાં થશે ચર્ચા, સરકાર પણ રાજી

નવી દિલ્હી, 5 જુલાઇ: મોદી સરકારના કાર્યકાળમાં સોમવારે શરૂ થઇ રહેલી સંસદના પહેલા બજેટ સત્રમાં જ્યાં વિરોધપક્ષ મોંઘારી, રેલવે ભાડું અને ગેસની કિંમતોમાં થયેલા વધારો અને ઇરાકમાં ભારતીય નાગરિકોના મુદ્દાને જોરશોરથી ઉઠાવવા માટે અડેલા છે, જ્યારે સરકાર જનહિત સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર નિયમો અંતર્ગત ચર્ચા માટે તૈયાર છે.

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં બજેટ સત્રના સુચારૂ રીતે સંચાલન અને ગૃહમાં સારા સમન્વય અંગે વિભિન્ન દળોના નેતાઓએ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર ન્હોતા પરંતુ તેમને બાદમાં ભોજન પર આમંત્રિત કરવામાં આવ્યા જ્યાં તેઓ તમામ પક્ષોના નેતાઓને મળ્યા.

nda
લગભગ બે કલાક ચાલેલી બેઠક બાદ સુમિત્રા મહાજને જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 28 બેઠકો યોજાશે અને કામ કાજ માટે 168 કલાક નિર્ધારિત કરવામાં આવ્યા છે અને 31 જુલાઇથી પહેલા રેલવે અને સામાન્ય બજેટ પાસ કરાવવાનું છે. તેમણે જણાવ્યું કે બપોરના ભોજન પર બોલાવવામાં આવેલી પહેલી સર્વદળીય બેઠકમાં કેટલાંક રાજનૈતિક દળોએ વિભિન્ન વિષયો પર ચર્ચાની માંગ કરી છે જેની પર સરકાર તરફથી કહેવાયું છે કે તે નિયમો હેઠળ દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે. એવું પૂછાતા કે શું બેઠક વિરોધપક્ષના નેતાની પસંદગી થઇ કે નહીં, તેમણે જણાવ્યું કે આ મુદ્દા પર બેઠકમાં કોઇ ચર્ચા થઇ નથી.

સંસદીય કાર્ય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે કેટલાંક રાજનૈતિક દળોએ આ સત્રમાં મોંઘવારી, રેલવે ભાડું અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાવવાની માંગ કરી છે, અને સરકાર બંને ગૃહમાં નિયમો હેઠળ અને આસનની પરવાનગીથી દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. સાથે જ તેમણે જણાવ્યું કે સરકાર ઇચ્છે છે કે આ મુદ્દા પર બજેટ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ ચર્ચા થાય તો વધુ સારુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X