મોદીની મહત્વની પહેલઃ સચિવો સીધા કરી શકશે વાત
નવી દિલ્હી, 5 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સચિવો સાથે એકસાથે મુલાકાત કરી. તેમણે આ બેઠકમાં સચિવોને કહ્યું કે મુદ્દાઓનું નિરાકરણ લાવવા તેઓ મારી સાથે સીધો સંપર્ક કરો. કોઇપણ વડાપ્રધાનની સચિવો સાથે પોતાની તરફથી આ પહેલી સીધી બેઠક હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી. આ બેઠક થકી મોદીનો ઉદ્દેશ્ય પારદર્શી, ત્વરિત અને પ્રભાવી રાજકાજ પર દબાણ આપતા નિર્ણયોમાં નોકરશાહોને મોટી ભૂમિકા આપવાનો છે.

આ બેઠકમાં દેશના 77 ટોચના અધિકારીઓ ઉપસ્થિત હતા, જેમાં નાણા સચિવ અરવિંદ માયારામ, ગૃહ સચિવ અનિલ ગોસ્વામી, રક્ષા સચિવ રાધાકૃષ્ણ માથુર તથા વિદેશ સચિવ સુજાતા સિંહ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે, સંબંધિત મંત્રાલયોને એકસાથે લાવીને 16 સમુહો બનાવવામાં આવ્યા છે. નાણા મંત્રાલય સાથે તમામ વિભાગોને એક સાથે જોડવામાં આવ્યા, જ્યારે ઉર્જા સાથે જોડાયેલા વિભાગો, વિજળી, કોલસા, તેલ, ખાણ અને પરમાણું ઉર્જાને એકસાથે રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
