કુડનકુલમના પહેલુ યુનિટનું ઉદ્ધાટન, મોદી-પુટિન અને જયલલિતાએ કર્યું
લાંબા વિરોધ બાદ આખરે કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના પહેલા યુનિટનું બુધવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ મળીને વીડિયો કોન્ફન્સિંગ દ્વારા સંયુક્ત રૂપે આ યુનિટનું ઉદ્ધાટન કરી દેશને સમર્પિત કર્યું.

વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું કે "દેશને સમર્પિત કુડનકુલમ પરમાણુ વિજય સંયંત્ર ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક બંધનની નિશાની છે. સાથે જ આ સફળતા ભારત અને રશિયાના એન્જિનિયરો માટે પણ ખુશીનો અવસર લાવી છે. હું આ લોકોના અથાગ પ્રયાસને સલામ કરું છું. અને ભારત અને રશિયાની આ મિત્રતા હંમેશા આમ જ બની રહે"
નોંધનીય છે કે કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને લઇને ભારત અને રશિયા વચ્ચે 1988માં કરાર થયો હતો. જો કે આ પ્લાન્ટને લઇને ભારે વિરોધ પણ થયો હતો. છેવટે જયલલિતાએ આ યોજનાને સમર્થન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
