બેનિયાબાગમાં રેલીની મંજૂરી નહીં, સત્યાગ્રહ કરશે ભાજપ
વારાણસી, 8 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેનિયાબાગની રેલીને અનુમતિ નહીં આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ વારાણસીના નિર્વાચન અધિકારીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતા કહ્યું છેકે બેનિયાબાગમાં મોદીની રેલીને અનુમતિ નહીં આપવા વિરુદ્ધ તેઓ અને અમિત શાહ ગુરુવારે બીએચયુ બહાર ધરણા પર બેસશે અને સત્યાગ્રહ કરશે, બીજી તરફ દિલ્હીમાં હર્ષવર્ધન સહિતના ભાજપી નેતાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

અરૂણ જેટલીએ કહ્યું કે, રિટર્નિંગ અધિકારી રાજકીય કારણોથી પ્રેરિત થઇને નિષ્પક્ષ કાર્યવાહી કરી રહ્યાં નથી અને મુખ્ય ચૂંટણી અધિકારી તેના પર મુક દર્શન બની જાય એ મને આશ્ચર્ય પમાડે છે. મેં આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. જેટલીએ ચૂંટણી પંચને રિટર્નિંગ અધિકારીને તત્કાળ હટાવવાની માંગ કરી છે. સુરક્ષાના ખોટા કારણોનો હવાલો આપીને મોદીની રહેલી રોકવામાં આવી રહીછે. મે ચૂંઠણી પંચને ત્રણ પત્રો લખ્યાં છે પરંતુ તેમના તરફથી એકપણ પત્રનો જવાબ આપવામા આવ્યો નથી.
જેટલીએ આરોપ લગાવ્યો છેકે વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી અધિકારી તરીકે કામ કરનારા ડીએમ રેલી માટે સુરક્ષા મંજૂરી આપવાના સંદર્ભમાં અવિશ્વસનીયતાનું બહાનું બનાવી રહ્યાં છે. રેલી કોઇપણ ઉમેદવારનો અધિકાર છે. જેટલીએ આરોપ મુક્યો છેકે વારાણસીમા મતદાનની ટકાવારી ઓછી કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. લોકો સુધી ચૂંટણી પંચના પર્ચા પહોંચ્યા નથી. એટલું જ નહીં પર્ચા વેંચવાને લઇને ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
જેટલીએ કહ્યું કે, તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે અમિત શાહ સાથે બીએચયુ પાસે લંકા ગેટ પર ધરણા પર બેસશે અને વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલયની બહાર ભાજપનું દિલ્હી યુનિટ પ્રદર્શન કરશે. જેટલીએ કહ્યું કે, વારાણસીમાં મોદીની રેલીને અનુમતિ નથી આપવામાં આવી. તેવામાં મોદીનું હેલિકોપ્ટર બીએચયુ સ્થિત હેલીપેડ પર ઉતરશે. ત્યારબાદ મોદી શહેર સ્થિત ભાજપના ચૂંટણી કાર્યાલયે જશે. નોંધનીય છેકે, મોદીનો શુક્રવારે સાંજે બેનિયાબાગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. આ પહેલા તે વારાણસીના ગ્રામિણ વિસ્તાર રોહાનિયામાં એક રેલીને સંબોધિત કરશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
