નવી દિલ્હી, 1 મે: હિમાચલ પ્રદેશના સોલનમાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો. રાહુલે જણાવ્યું કે જો ભાજપની સરકાર બની તો દેશની શાંતિ છીનવાઇ જશે. રાહુલે જણાવ્યું કે જો ભાજપ સત્તામાં આવી તો 22 હજાર લોકો માર્યા જશે. રાહુલે જણાવ્યું કે ભાજપ ક્રોધ અને નફરતની રાજનીતિ કરે છે.
રાહુલે ભાજપ પર વાર કરતા જણાવ્યું કે આખી દુનિયાના લોકો એ જ સવાલ કરી રહ્યા છે કે શું ભાજપ સત્તામાં આવશે તો દેશમાં શાંતિ બની રહેશે. રાહુલ આજે ખૂબ જ આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે જોરદાર ભાજપ પર પ્રહારો કર્યા. રાહુલે જણાવ્યું કે ભાજપ ઘૃણાની રાજનીતિ કરે છે. અને સત્તામાં આવી તો હજારો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડશે.
રાહુલ ગાંધીના આવા આક્રમક વલણ અને વિવાદાસ્પદ નિવેદન પરથી એટલું ચોક્કસ તારણ કાઢી શકાય કે કોંગ્રેસને પણ હવે દેશમાં 'મોદી લહેર'ના દર્શન થઇ ગયા છે. અને કોંગ્રેસે મોદીને કેન્દ્રમાં પહોંચતા રોકવા માટે છેલ્લી હદ સુધી જવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.
એક તરફ રાહુલ ગાંધી દેશની જનતામાં દહેશત ફેલાય તેવા નિવેદન આપે છે કે મોદી સત્તામાં આવશે તો હજારોના જીવ જશે, અને બીજી તરફ તેઓ ગુસ્સેથી પણ કહે છે. હવે આપ જ નક્કી કરો કે ઘૃણા અને ક્રોધની રાજનીતિ કોણ કરે છે.