નવી દિલ્હી, 7 મે: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટમાં જમીન સંપાદન મામલે ગુજરાત મોડેલને સર્વોત્તમ ગણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાવસાયિક વાતાવરણ સુધારવા માટે અન્ય રાજ્યો પણ કેટલાંક ફેરફાર સાથે આ મોડેલને અપનાવી શકે છે. અત્યાર સુધી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાના ભાષણોમાં કહેતા આવ્યા છે કે મોદીના રાજમાં જમીન માત્ર ચોકલેટના ભાવે વેચવામાં આવે છે, ત્યારે યુપીએની જ સરકારના વાણિજ્ય મંત્રાલયે આપેલા રિપોર્ટમાં ગુજરાત સરકારની જમીન સંપાદનની નીતિના ભરપૂર વખાણ કરાયા છે.
ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ (ડીઆઇપીપી) તરફથી પરામર્શ ફર્મ એક્સેંચર દ્વારા તૈયાર રિપોર્ટ 'ભારતમાં રાજ્યો-સંઘ શાસિત રાજ્યોમાં કારોબારી વાતાવરણ સુધારવાને ઉત્તમ વ્યવસ્થા'માં શ્રમ પ્રબંધન અને વ્યાપાર અને રોકાણ સુવિધા પ્રણાલી સાથે જોડાયેલ મુદ્દા પર કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઉત્કૃષ્ટ વ્યવસ્થાની પણ ચર્ચા કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'જોકે અમે જમીન સંબંધી હસ્તક્ષેપ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ(જીઆઇડીસી) મોડેલને પ્રદર્શિત કરવાનું યોગ્ય સમજ્યું, કેટલાંક અન્ય રાજ્યોએ ઉદ્યોગ લગાવવા માટે જમીન મેળવવા માટે વ્યાપારીઓની મદદ કરવાની પહેલ કરી છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન સંપાદ હાલની સામાન્ય ચૂંટણીમાં વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો હતો. જેમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદી પર હંમેશા એવા આરોપો લગાવ્યા છે કે ગુજરાત સરકાર ઔદ્યોગિકોને સસ્તા ભાવે જમીન વેચી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'ગુજરાતમાં એક ખૂબ જ સરળ જમીન સંપાદન પ્રક્રિયા છે. જેમાં ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ છે. એક ઉદ્યમી ખૂબ જ ઓછી બાધાઓની સાથે ઝડપથી જમીન અધિગ્રહણ માટે જીઆઇડીસીને સંપર્ક કરી શકે છે.' પર્યાવરણ સંબંધી મંજૂરીઓના મામલામાં રિપોર્ટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી પ્રણાલીના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. અને જાણે કોંગ્રેસના ગાલે તમાચ મારવામાં આવી છે.
રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે વાંચો...
કેન્દ્રએ કર્યા ગુજરાતના વખાણ
અત્યાર સુધી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાના ભાષણોમાં કહેતા આવ્યા છે કે મોદીના રાજમાં જમીન માત્ર ચોકલેટના ભાવે વેચવામાં આવે છે, ત્યારે યુપીએની જ સરકારના વાણિજ્ય મંત્રાલયે આપેલા રિપોર્ટમાં ગુજરાત સરકારની જમીન સંપાદનની નીતિના ભરપૂર વખાણ કરાયા છે.
રાહુલના મોઢે તમાચ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'ગુજરાતમાં એક ખૂબ જ સરળ જમીન સંપાદન પ્રક્રિયા છે. જેમાં ઓછામાં ઓછો સરકારી હસ્તક્ષેપ છે. એક ઉદ્યમી ખૂબ જ ઓછી બાધાઓની સાથે ઝડપથી જમીન અધિગ્રહણ માટે જીઆઇડીસીને સંપર્ક કરી શકે છે.' પર્યાવરણ સંબંધી મંજૂરીઓના મામલામાં રિપોર્ટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી પ્રણાલીના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે. અને જાણે કોંગ્રેસના ગાલે તમાચ મારવામાં આવી છે.
અન્ય રાજ્યો અપનાવી શકે છે ગુજરાત મોડેલ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'જોકે અમે જમીન સંબંધી હસ્તક્ષેપ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ(જીઆઇડીસી) મોડેલને પ્રદર્શિત કરવાનું યોગ્ય સમજ્યું, કેટલાંક અન્ય રાજ્યોએ ઉદ્યોગ લગાવવા માટે જમીન મેળવવા માટે વ્યાપારીઓની મદદ કરવાની પહેલ કરી છે.'
રાહુલના આરોપો
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન સંપાદ હાલની સામાન્ય ચૂંટણીમાં વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો હતો. જેમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદી પર હંમેશા એવા આરોપો લગાવ્યા છે કે ગુજરાત સરકાર ઔદ્યોગિકોને સસ્તા ભાવે જમીન વેચી રહ્યા છે.