માત્ર મોદી લહેરથી વિધાનસભા ચૂંટણી નહિ જીતી શકે ભાજપ, બીએસ યેદિયુરપ્પાના નિવેદનથી ચડ્યો રાજકીય પારો
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે માત્ર મોદી લહેરથી ભાજપ વિધાનસભા ચૂંટણી નહિ જીતી શકે.
નવી દિલ્લીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે માત્ર મોદી લહેરથી ભાજપ વિધાનસભા ચૂંટણી નહિ જીતી શકે. બીએસ યેદિયુરપ્પાએ ભાજપ નેતાઓને સલાહ આપીને કહ્યુ કે તેમણે વિધાસભા પેટાચૂંટણી, વિધાન પરિષદ ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા બધાએ સમજવુ પડશે કે આપણે એકલા મોદી લહેરથી કર્ણાટક ચૂંટણી નહિ જીતી શકીએ. ભાજપ કોર કમિટીની બેઠકને સંબોધિત કરીને યેદિયુરપ્પાએ કહ્યુ કે તમે લોકો એ ભ્રમમાં બિલકુલ ના રહેતા કે આપણે બધા લોકો માત્ર મોદી લહેરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી શકીએ છીએ. મોદી લહેરમાં લોકસભા ચૂંટણી જીતવી સરળ હોઈ શકે છે પરંતુ આપણે માત્ર તેના પર જ નિર્ભર ન રહી શકીએ. આપણે લોકો પાસે વાસ્તવમાં વિકાસ કાર્યોને લઈને જવુ જોઈએ.

વિપક્ષને હળવામાં ન લોઃ બીએસ યેદિયુરપ્પા
બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે તે કોંગ્રેસ પાર્ટીને કમ ના સમજે કારણકે તેમના નેતા અને કાર્યકર્તા સક્રિય થઈ ગયા છે. ચૂંટણી જીતવા માટે તેમની પોતાની રણનીતિ છે. બીએસ યેદિયુરપ્પાએ આવનારી આગામી વિધાનસભા પેટા ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યુ કે મોદીના નામથી લોકસભા ચૂંટણી જીતવી સરળ છે પરંતુ વિધાનસભા ચૂંટણી નહિ. વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીની હાર ખોટો સંદેશ આપશે. માટે પેટાચૂંટણી ભાજપ માટે સરળ નથી. કાર્યકર્તાઓએ આ ધારણ હેઠળ ન રહેવુ જોઈએ કે મોદી લહેરથી તેમને ચૂંટણી જીતવામાં મદદ મળશે. આપણે બંને સીટો જીતવા અને કોંગ્રેસ પાર્ટીને સબક શીખવાડવા માટે કઠોર મહેનત કરવાની જરૂર છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
