આઝમ ખાનના ગઢથી યૂપીમાં Entry કરશે નરેન્દ્ર મોદી

બીજી તરફ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી અમિત શાહ 29 મેના રોજ રામપુરથી યૂપીમાં પોતાનો સાર્વજનિક કાર્યક્રમ કરી શકશે નહી. છત્તીસગઢમાં નક્સલી હુમલાને જોતાં ભાજપે પોતાનું જેલ ભરો આંદોલન સ્થગિત કરી દિધું છે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર નકવીએ જણાવ્યું હતું કે સાત થી નવ જૂન સુધી ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજાવવાની છે. કાર્યકારિણીની બેઠકમાં દેશભરમાં આયોજીત થનાર કાર્યક્રમોની તારીખ નક્કી કરવામાં આવશે. સાથે જ રામપુરમાં આયોજીત થનાર મહાપંચાયતની તારીખ પણ નક્કી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
