લૉકડાઉન પ્રભાવિત સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પીએમ મોદીએ કરી વાત, સ્વનિધિ યોજના પર થઈ ચર્ચા
દેશમાં લૉકડાઉન સમયે સ્ટ્રીટ વેંડર્સને રાહત આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાગુ કરી હતી.
નવી દિલ્લીઃ દેશમાં લૉકડાઉન સમયે સ્ટ્રીટ વેંડર્સને રાહત આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાગુ કરી હતી. આનો હેતુ લૉકડાઉનથી પ્રભાવિત સ્ટ્રીટ વેન્ડર્સના વ્યવસાયને ફરીથી પાટા પર લાવવાનો છે. પીએમ મોદીએ આ યોજના પર ચર્ચા અને ફીડબેક માટે મધ્ય પ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સ સાથે વાત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થયેલ આ કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયને પણ નિવેદન જારી કર્યુ છે અને કહ્યુ છે કે મધ્ય પ્રદેશ દ્વારા આ યોજના હેઠળ સાડા ચાર લાખ લારીવાળાનુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. ચાર લાખથી વધુ લારીવાળાને પરિચય પત્ર અને વેન્ડર પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મધ્ય પ્રદેશે પોર્ટલ પર 2.45 લાખ યોગ્ય લાભાર્થીઓના આવેદન બેંકો સામે રાખ્યા છે અને આમાંથી 1.40 લાખ લારીવાળાને 140 કરોડ રૂપિયાને સ્વીકૃતિ થઈ ચૂકી છે.
કંગના વિશેના નિવેદન બદલ મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મળી ધમકી