ઝીણાએ ભારતના બે ટુકડા કર્યા, તે પાકિસ્તાન માટે દેવતા, ભારત માટે નહિઃ રામદેવ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવે નિવેદન આપ્યુ છે કે ઝીણા દેશભક્ત નહોતા, તેમણે દેશના બે ટુકડા કર્યા, તેમના કારણે જ ભારતના બે ભાગ થઈ ગયા. ઝીણાના નામ પર નિમ્ન સ્તરનું રાજકારણ રમવામાં આવી રહ્યુ છે. તે પાકિસ્તાન માટે દેવતા હોઈ શકે છે પરંતુ તે હિંદુસ્તાન માટે દેવતા ના હોઈ શકે.

બાબા રામદેવે આપ્યુ મોટુ નિવેદન
યોગ ગુરુ બાબા રામદેવે આ વાત પટનામાં મીડિયા સાથે વાત કરતા કહી. તેઓ અહીં યોગ શિબિર માટે પધાર્યા હતા અને ત્યારબાદ તેઓ નાલંદા ગયા. નોંધનીય છે કે રાજગીર અને ગયામાં બાબા રામદેવ ત્રણ દિવસ સુધી યોગ પ્રશિક્ષણ શિબિર ચલાવશે.

એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો
ઉલ્લેખનીય છે કે એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો લાગેલો હતો. જે અંગે વિવાદ ચાલી રહ્યો હતો. હિંદુવાદી સંગઠનો અને તમામ છાત્રોએ આના વિરોધમાં પ્રદર્શન કર્યા હતા. આટલુ જ નહિ, પરિસરની બહાર પ્રદર્શનકારીઓએ ઝીણાનું પૂતળુ પણ બાળ્યુ હતુ. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બની ગયુ અને ભીડ બેકાબૂ બની ગઈ. ત્યારબાદ પોલિસને લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં ઘણા છાત્રો ઘાયલ થઈ ગયા અને ત્યારબાદ આ મામલાએ રાજકીય રંગ ધારણ કરી લીધો.

ઝીણા પર સંસદનું નિવેદન
અલીગઢમાંથી ભાજપના સાંસદ સતીશ ગૌતમે સવાલ કર્યો હતો કે ઝીણાનો ફોટો યુનિવર્સિટીમાં લગાવી રાખવાની શું મજબૂરી છે. ઝીણા તો દેશના ભાગલા પાડવાના મુખ્ય સૂત્રધાર હતા. એવામાં ઝીણાનો ફોટો એએમયુમાં લગાવવુ કેટલુ તાર્કિક છે. મારા ખ્યાલથી ઝીણાનો ફોટો પાકિસ્તાન મોકલી દેવો જોઈએ.

ઝીણાના ફોટા પર મચી બબાલ
ઝીણાના ફોટા અંગે વિવાદ થયા બાદ સીએમ યોગી આદિત્યનાથે આ મામલે યુનિવર્સિટી પાસે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે મીડિયા સાથે વાત કરતાં એએમયુના છાત્રએ કહ્યુ હતુ કે એએમયુમાં સ્ટુડન્ટ યુનિયન અને ટીચર્સ એસોસિએશનના નિર્ણયોનો યુનિવર્સિટી સાથે સીધો મતલબ નથી હોતો. ઝીણાને ભાગલા પહેલા 1938 માં સભ્યપદ આપવામાં આવ્યુ હતુ એટલા માટે તેમનો ફોટો યુનિયન હોલમાં લાગેલો છે. હાલમાં આ મામલાની ગંભીરતાને જોતા યુનિવર્સિટીએ ટાઉનહોલ પર તાળુ મારી દીધુ છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
