Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝીણાએ ભારતના બે ટુકડા કર્યા, તે પાકિસ્તાન માટે દેવતા, ભારત માટે નહિઃ રામદેવ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવે નિવેદન આપ્યુ છે કે ઝીણા દેશભક્ત નહોતા, તેમણે દેશના બે ટુકડા કર્યા, તેમના કારણે જ ભારતના બે ભાગ થઈ ગયા. ઝીણાના નામ પર નિમ્ન સ્તરનું રાજકારણ રમવામાં આવી રહ્યુ છે. તે પાકિસ્તાન માટે દેવતા હોઈ શકે છે પરંતુ તે હિંદુસ્તાન માટે દેવતા ના હોઈ શકે.

બાબા રામદેવે આપ્યુ મોટુ નિવેદન

બાબા રામદેવે આપ્યુ મોટુ નિવેદન

યોગ ગુરુ બાબા રામદેવે આ વાત પટનામાં મીડિયા સાથે વાત કરતા કહી. તેઓ અહીં યોગ શિબિર માટે પધાર્યા હતા અને ત્યારબાદ તેઓ નાલંદા ગયા. નોંધનીય છે કે રાજગીર અને ગયામાં બાબા રામદેવ ત્રણ દિવસ સુધી યોગ પ્રશિક્ષણ શિબિર ચલાવશે.

એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો

એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો

ઉલ્લેખનીય છે કે એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો લાગેલો હતો. જે અંગે વિવાદ ચાલી રહ્યો હતો. હિંદુવાદી સંગઠનો અને તમામ છાત્રોએ આના વિરોધમાં પ્રદર્શન કર્યા હતા. આટલુ જ નહિ, પરિસરની બહાર પ્રદર્શનકારીઓએ ઝીણાનું પૂતળુ પણ બાળ્યુ હતુ. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બની ગયુ અને ભીડ બેકાબૂ બની ગઈ. ત્યારબાદ પોલિસને લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં ઘણા છાત્રો ઘાયલ થઈ ગયા અને ત્યારબાદ આ મામલાએ રાજકીય રંગ ધારણ કરી લીધો.

ઝીણા પર સંસદનું નિવેદન

ઝીણા પર સંસદનું નિવેદન

અલીગઢમાંથી ભાજપના સાંસદ સતીશ ગૌતમે સવાલ કર્યો હતો કે ઝીણાનો ફોટો યુનિવર્સિટીમાં લગાવી રાખવાની શું મજબૂરી છે. ઝીણા તો દેશના ભાગલા પાડવાના મુખ્ય સૂત્રધાર હતા. એવામાં ઝીણાનો ફોટો એએમયુમાં લગાવવુ કેટલુ તાર્કિક છે. મારા ખ્યાલથી ઝીણાનો ફોટો પાકિસ્તાન મોકલી દેવો જોઈએ.

ઝીણાના ફોટા પર મચી બબાલ

ઝીણાના ફોટા પર મચી બબાલ

ઝીણાના ફોટા અંગે વિવાદ થયા બાદ સીએમ યોગી આદિત્યનાથે આ મામલે યુનિવર્સિટી પાસે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે મીડિયા સાથે વાત કરતાં એએમયુના છાત્રએ કહ્યુ હતુ કે એએમયુમાં સ્ટુડન્ટ યુનિયન અને ટીચર્સ એસોસિએશનના નિર્ણયોનો યુનિવર્સિટી સાથે સીધો મતલબ નથી હોતો. ઝીણાને ભાગલા પહેલા 1938 માં સભ્યપદ આપવામાં આવ્યુ હતુ એટલા માટે તેમનો ફોટો યુનિયન હોલમાં લાગેલો છે. હાલમાં આ મામલાની ગંભીરતાને જોતા યુનિવર્સિટીએ ટાઉનહોલ પર તાળુ મારી દીધુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X