મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યુ હતુ, દીકરા ઉમર અંસારીનો દાવો
Mukhtar Ansari Death: ઉત્તર પ્રદેશના માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત પર તેના નાના પુત્ર ઉમર અંસારીએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેના પિતાને 'સ્લો પોઈઝન' આપવામાં આવ્યું છે. ઉમર અંસારીએ આરોપ લગાવ્યો છે કે મુખ્તાર અંસારીની મૃત્યુ ગાઢ ષડયંત્રના કારણે થઈ છે.
ઉમર અંસારીએ કહ્યું, 'પિતાની ગેરહાજરીમાં જે હાલત થાય તેવી જ અમારી પણ સ્થિતિ છે. પપ્પાએ પોતે મને કહ્યું હતું કે તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. પિતાને વોર્ડમાં દાખલ કરવાને બદલે ત્રણ દિવસ પહેલા આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.

મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીએ કહ્યું છે કે, તેમના પિતાને ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું, તેઓ આ મામલે કોર્ટમાં જશે. ઉમર અંસારીએ કહ્યું, "મને પ્રશાસન દ્વારા કંઈપણ કહેવામાં આવ્યું ન હતું. મને આ વિશે મીડિયા દ્વારા ખબર પડી. પરંતુ હવે, આખો દેશ બધું જાણે છે. બે દિવસ પહેલા, હું તેમને મળવા આવ્યો હતો, પરંતુ મને મંજૂરી આપવાાં આવી ન હતી."
ઉમર અંસારીએ વધુમાં કહ્યું, "અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહીશું કે તેમને 'ધીમુ ઝેર' આપવામાં આવ્યુ હતું. તેમને 19 માર્ચે ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે આ મામલે કોર્ટમાં જઈશું, અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.''
તમને જણાવી દઈએ કે જેલમાં બંધ માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર મુખ્તાર અંસારીનું મૃત્યુ કાર્ડિયાક એટેકથી થયું હતું. આ પહેલા મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેમને બાંદા જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલા પણ સોમવારે રાત્રે મુખ્તાર મુખ્તારને પેટમાં દુખાવાની ફરિયાદના આધારે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે તેને કબજિયાત હોવાનું નિદાન કરી તેને એનિમા આપી હતી. મુખ્તારના પુત્ર ઉમર અંસારી અને ભાઈ અફઝલ અંસારીએ મુખ્તાર પર તેમના ભોજનમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ પહેલા મુખ્તારના વકીલે પણ બારાબંકી કોર્ટમાં મુખ્તાર પર ખોરાકમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ જેલ પ્રશાસને આ આરોપોને ફગાવી દીધા હતા. હવે તેમના મૃત્યુને કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે જેના જવાબ કોઈ આપી શકતું નથી.
નોંધનીય છે કે તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારી અગાઉ પણ હત્યાનો ડર વ્યક્ત કરતો હતો. આ માટે તેણે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો હતો. માર્ચ 2021માં જ્યારે મુખ્તાર અંસારી પંજાબની રોપર જેલમાં બંધ હતો ત્યારે તેની પત્ની અફશા અંસારીએ તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં અફશા અન્સારીએ તેના પતિ મુખ્તાર અંસારીને પંજાબથી યુપી લાવતી વખતે તેના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપવા વિનંતી કરી હતી. અફશાને લખ્યું હતું કે તેને ડર હતો કે પંજાબ જેલથી બાંદા જતા રસ્તામાં નકલી એન્કાઉન્ટરની આડમાં અંસારીની હત્યા થઈ શકે છે.
મુખ્તાર અંસારીની પત્ની અફશા અંસારીએ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ અરજીમાં વિકાસ દુબે એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે શિફ્ટિંગ દરમિયાન મુખ્તારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. મુખ્તારની પત્નીએ અરજીમાં કહ્યું છે કે તેને ડર છે કે નકલી એન્કાઉન્ટર થઈ શકે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
