મુલાયમ સિંહ યાદવની હાલત ગંભીર, આઇસીયુમાં દાખલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર નેતાજીની હાલત નાજુક છે, પરંતુ હાલત સ્થિર છે. હાલમાં નેતાજી જીવન રક્ષક દવાઓ પર જીવીત છે અને ડોક્ટરોની ટીમ નેતાજીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહ યાદવની ખુબ જ હાલત નાજુક છે અને જીવન રક્ષક દવાઓ પર છે. નિષ્ણાતોની એક વિસ્તૃત ટીમ દ્વારા ICUમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવને મળવા આવેલા તેમના પુત્ર અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે સપા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, નેતાજીની હાલત ગઈકાલ કરતા થોડી સારી છે. આ દરમિયાન તેમણે કાર્યકરોને હોસ્પિટલમાં વધુ ભીડ ન કરવાની અપીલ કરી હતી. તેમજ નેતાજી માટે પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. જેના કારણે તેમને મહિનામાં એક-બે વખત મેદાંતા હોસ્પિટલમાં તેમની તપાસ માટે દાખલ કરવામાં આવતા હતા. ઓગસ્ટ મહિનાથી તેમની તબિયતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ પહેલા તેમની તબિયત લથડતા તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જુલાઈમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેદાંતા હોસ્પિટલની યતિન મહેતાની ટીમ સતત સારવાર કરી રહી છે. તે જ સમયે, પ્રોફેસર રામ ગોપાલ યાદવ પણ મેદાંતા હોસ્પિટલમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેદાંતા હોસ્પિટલમાં નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો છે. આ સિવાય શિવપાલ સિંહ યાદવ સહિત તમામ મોટા નેતાઓ પણ હાજર છે. મેદાંતા હોસ્પિટલે મંગળવારે તાજેતરની હેલ્થ અપડેટ જાહેર કરતાં કહ્યું કે મુલાયમ સિંહ યાદલની હાલત નાજુક છે અને તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
