મુલાયમ સિંહ યાદવની હાલત ગંભીર, આઇસીયુમાં દાખલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર નેતાજીની હાલત નાજુક છે, પરંતુ હાલત સ્થિર છે. હાલમાં નેતાજી જીવન રક્ષક દવાઓ પર જીવીત છે અને ડોક્ટરોની ટીમ નેતાજીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહ યાદવની ખુબ જ હાલત નાજુક છે અને જીવન રક્ષક દવાઓ પર છે. નિષ્ણાતોની એક વિસ્તૃત ટીમ દ્વારા ICUમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવને મળવા આવેલા તેમના પુત્ર અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે સપા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, નેતાજીની હાલત ગઈકાલ કરતા થોડી સારી છે. આ દરમિયાન તેમણે કાર્યકરોને હોસ્પિટલમાં વધુ ભીડ ન કરવાની અપીલ કરી હતી. તેમજ નેતાજી માટે પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. જેના કારણે તેમને મહિનામાં એક-બે વખત મેદાંતા હોસ્પિટલમાં તેમની તપાસ માટે દાખલ કરવામાં આવતા હતા. ઓગસ્ટ મહિનાથી તેમની તબિયતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ પહેલા તેમની તબિયત લથડતા તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જુલાઈમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેદાંતા હોસ્પિટલની યતિન મહેતાની ટીમ સતત સારવાર કરી રહી છે. તે જ સમયે, પ્રોફેસર રામ ગોપાલ યાદવ પણ મેદાંતા હોસ્પિટલમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેદાંતા હોસ્પિટલમાં નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો છે. આ સિવાય શિવપાલ સિંહ યાદવ સહિત તમામ મોટા નેતાઓ પણ હાજર છે. મેદાંતા હોસ્પિટલે મંગળવારે તાજેતરની હેલ્થ અપડેટ જાહેર કરતાં કહ્યું કે મુલાયમ સિંહ યાદલની હાલત નાજુક છે અને તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
