આજથી મુંબઇના દુકાનદારોએ દુકાનો ફરી ખોલી

mumbai-lbt
મુંબઇ, 12 મે : મુંબઇના શહેરીજનોને શનિવાર રાતથી મોટી રાહત મળી છે. લોકલ બોડી ટેક્સ (એલબીટી) સામેના વિરોધમાં બેમુદત હડતાળ પર ઉતરેલા લાખો છુટક વેપારીઓએ શનિવારે મોડી રાત્રે તેમનું આંદોલન પડતું મૂકી દીધું અને દુકાનો ખોલી નાખી છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ એલબીટી મામલે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે.

સરકારે ઓક્ટ્રોયની જગ્યાએ એલબીટી ટેક્સ નાખ્યો છે. વેપારીઓનું બેમુદત બંધ આંદોલન છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ચાલુ હતું. છુટક વેપારીઓ, હોલસેલરો ગયા સોમવારથી તેમાં જોડાયા હતા.

મહારાષ્ટ્ર સરકારે એલબીટી સંબંધિત ભલામણો સુપરત કરવા માટે રાજ્યના ચીફ સેક્રેટરી જયંતકુમાર બાંઠીયાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ એક મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે એલબીટીનો અમલ રદ કરવાની વેપારીઓની માગણીને ફગાવી દીધી છે, પણ આ ટેક્સની વસુલીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. આ હડતાદ દરમિયાન તેમને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X