મુંબઈમાં નિર્માણાધીન ફ્લાઈઓવર ધરાશાયી, 13 લોકો ઘાયલ
મુંબઈમાં આજે સવારે બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં એક નિર્માણીધીન ફ્લાઈઑવરનો હિસ્સો પડી ગયો.
મુંબઈઃ એક મોટા સમાચાર માયાનગરીથી છે, અહીં આજે સવારે બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં એક નિર્માણીધીન ફ્લાઈઑવરનો હિસ્સો પડી ગયો જેના કારણે 13 લોકો ઘાયલ થઈ ગયા જેમને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એએનઆઈના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના આજે સવારે 4.40 વાગે બની. ઘટના સ્થળે હાલમાં ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલિસ દળ હાજર છે. કાટમાળમાં લોકોના દબાયા હોવાની આશંકાને પગલે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. અચાનક થયેલી દૂર્ઘટનાથી હાલમાં અફડાતફડીનો માહોલ છે.

જો કે આ વિશે મીડિયા સાથે વાત કરીને ડીસીપી મંજૂનાથ સિંહે કહ્યુ કે બીકેસીનો મુખ્ય રસ્તો અને સાંતાક્રૂઝ-ચેમ્બૂર લિંક રોડને જોડતો નિર્માણાધીન ફ્લાઈઑવરનો એક હિસ્સો આજે સવારે લગભગ 4.30 વાગે ધરાશાયી થઈ ગયો. 13 લોકોને સામાન્ય ઈજા થઈ છે અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી. સ્થિતિ કાબૂમાં છે. અમે ઘટનાના કારણો શોધવાની કોશિશ કરી રહ્યા છે.
દીવાલ પડવાથી કિશોરનો જીવ ગયો
તમને જણાવી દઈએ કે હજુ હમણાં જ ભારે વરસાદે મુંબઈમાં કહેર વરસાવ્યો હતો. અહીં ભાંડુપમાં દીવાલ પડવાથી એક કિશોરનો જીવ જતો રહ્યો હતો. દૂર્ઘટનાની માહિતી આપીને મુંબઈ નગર નિગમે જણાવ્યુ હતુ કે ભારે વરસાદના કારણે ભાંડુપમાં 16 વર્ષીય કિશોરનુ મોત થઈ ગયુ. આ ઉપરાંત અંધેરીમાં કરન્ટ લાગવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયુ હતુ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હમણાંથી વરસાદના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં જૂની અને જર્જરિત ઈમારતો પડવાના સમાચાર આવ્યા હતા. જો કે જે જગ્યાએ આ દૂર્ઘટના બની ત્યાં પહેલેથી જ લોકોને સલાહ આપી દેવામાં આવી હતી જેના કારણે જાન-માલનુ નુકશાન થયુ નહોતુ.
#WATCH | Nine people sustained minor injuries & were taken to a nearby hospital after a portion of an under-construction flyover collapsed in Mumbai's Bandra Kurla Complex at around 4:40 am today, as per a fire brigade official present at the spot
— ANI (@ANI) September 17, 2021
(Latest visuals from the spot) pic.twitter.com/Ddrzw0uzT5
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
