મુનવ્વર ફારુકી કેસઃ જજે કહ્યું, આવા લોકોને માફ કરવા જોઈએ નહીં
મુનવ્વર ફારુકી કેસઃ જજે કહ્યું, આવા લોકોને માફ કરવા જોઈએ નહીં
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદૌર ખંડપીઠે સોમવારે ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો છે. ફારુકીને હજુ થોડા વધુ દિવસો સુધી જેલમાં રહેવું પડશે.
સોમવારે જજ રોહિત આર્યની સિંગલ બેન્ચે જણાવ્યું, "તમે બીજા લોકોની ધાર્મિક ભાવનાઓનો અનુચિત લાભ કેમ ઉઠાવો છો? તમારી માનસિકતામાં એવું શું છે? પોતાના વ્યવસાયના હેતુ માટે તમે આ કેવી રીતે કરી શકો?"
જસ્ટિસ રોહિત આર્યે કહ્યું કે, "આવા લોકોને માફ કરવા ન જોઈએ. યોગ્યતાના આધારે હું આ આદેશ સુરક્ષિત રાખીશ."
મુનવ્વર ફારુકીની તરફેણ કરતાં વકીલ વિવેક ટંખાએ કહ્યું કે, "આ કેસમાં તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેમને જામીન મળવા જોઈએ."
ઈંદૌર પોલીસે 1 જાન્યુઆરીના રોજ મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી. તેમની સાથે બીજા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમનાં નામ છે ઍડવિન ઍન્થોની, પ્રખર વ્યાસ, પ્રીયમ વ્યાસ અને નલીન યાદવ.
બધા પર હિંદુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.
મુનવ્વર ફારૂકી ઈંદૌરના 'મુનરો કાફે'માં કાર્યક્રમ માટે આવ્યા હતા. તે જ સમયે, 'હિંદ રક્ષક સંગઠન'ના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
ધરપકડનો મામલો શું છે?
મધ્યપ્રદેશના ઇંદૌરમાં 56 દુકાન વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીના સંદર્ભમાં મુનવ્વર ફારૂકીનો એક કૉમેડી શો રાખવામાં આવ્યો હતો.
જેમાં ભાજપનાં ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર એકલવ્ય ગૌડ અને તેમના મિત્રો સાથે આ શો જોવા ગયા હતા.
અહેવાલ મુજબ કૉમેડી શોમાં હિંદુ દેવતાઓ પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીનો એકલવ્યસિંહે વિરોધ કર્યો અને કાર્યક્રમ રોકાવી દીધો. બાદમાં શોના વીડિયો ફૂટેજ સાથે એકલવ્યસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી.
મુનવ્વર ફારુકી મૂળ જૂનાગઢના રહેવાસી છે અને તેઓ સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. ફરિયાદ દાખલ થતાંની સાથે જ આ મામલો સોશિયલ મીડિયા પર છવાયો અને તેમના કેટલાક વીડિયો વાઇરલ પણ થવા લાગ્યા.
જોકે મુનવ્વરના સમર્થનમાં અન્ય સ્ટેન્ડઅપ કૉમેડિયન આવ્યા જ્યારે કેટલાક લોકોએ તેમની ટીકા કરી. વરુણ ગ્રૉવર, વીર દાસ અને રોહન જોશી સહિતના હાસ્ય કલાકારો ફારૂકીના સમર્થનમાં આવ્યા. તેમણે ફારૂકીની ધરપકડની ટીકા કરી છે.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
