Murshidabad violence : મુર્શિદાબાદમાં કેન્દ્રિય બળ તૈનાત કરો, કોલકત્તા હાઈકોર્ટનો આદેશ
Murshidabad violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ બિલ મુદ્દે થયેલી હિંસાના પગલે કલકત્તા હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ જિલ્લાઓમાં તાત્કાલિક સુરક્ષા બળોની તૈનાતી કરવા જણાવ્યું છે, જેથી સ્થિતિ કાબૂમાં રહી શકે.

મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ અધિનિયમને લઈને લોકોમાં અસંતોષ છે. આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ છે. આ હિંસામાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
વક્ફ કાયદા સામે લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. 10 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં લોકો નમાઝ પછી રસ્તા પર ઉતરી આવ્યા અને નેશનલ હાઈવે 34ને જામ કરી દીધો હતો.
પોલીસ જ્યારે હાઈવે ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું અને હિંસા ફાટી નીકળી હતી.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ હિંસા વધતી જોઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી કે મુર્શિદાબાદમાં તાત્કાલિક કેન્દ્રિય બળ મોકલવામાં આવે.
રાજ્ય સરકારે જવાબ આપ્યો કે સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને બહારથી બળોની જરૂરિયાત નથી. છતાં હાઈકોર્ટએ રાજ્ય સરકારના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે શાંતિ સ્થાપિત કરવા માટે સુરક્ષા બળોની તાત્કાલિક જરૂર છે.
રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળમાં વક્ફ અધિનિયમ 2025 લાગુ નહીં કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ કાયદો રાજ્ય માટે યોગ્ય નથી અને તેનો અમલ નહીં થાય.
હાલ સુધીમાં 110થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં પોલીસ તલાશી અભિયાન ચાલુ છે. હજુ પણ કેટલાક સ્થળોએ હિંસા થતી રહે છે, જેને થંભાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
