Murshidabad violence : બંગાળમાં હિંસા પાછળ અમિત શાહનો હાથ? TMC સાંસદનો મોટો આરોપ
Murshidabad violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કેન્દ્ર સરકારના વક્ફ સંશોધન બિલના વિરોધમાં થોડા દિવસ પહેલાં ઉગ્ર હિંસા ફેલાઈ હતી.
આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ભાજપ અને અન્ય વિપક્ષી પક્ષોએ મમતા બેનર્જીની આગેવાનીવાળી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે.

આ મુદ્દો હવે કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં મુર્શિદાબાદની હિંસા અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ કલ્યાણ બેનર્જીએ શુક્રવારે એક મોટું નિવેદન આપીને ભાજપ પર આકરા આક્ષેપો કર્યા છે.
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ભાજપ વર્ષ 2019થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત કરી રહ્યું છે. આ તેમની જૂની ચાલ છે અને અમે આવી માગણીઓને ગંભીરતાથી લેતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે અને કોર્ટ રાજ્ય સરકારના પ્રયાસોથી ખુશ છે.
તેમણે દાવો કર્યો કે, મુર્શિદાબાદમાં પરિસ્થિતિ શરૂઆતમાં ખરાબ હતી, પરંતુ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઈને અને કેન્દ્રીય દળોની સહાયથી શાંતિ પુનઃસ્થાપિત કરી છે. હવે ત્યાં બધું નિયંત્રણમાં છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મુર્શિદાબાદમાં હવે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. બેંક, ડાકઘર, અને વહીવટી કચેરીઓ ફરીથી શરૂ થઈ ગઈ છે અને જનજીવન પાટે ચડ્યું છે.
#WATCH | Delhi: TMC MP Kalyan Banerjee says, "They (BJP) have been demanding President's rule (in West Bengal) since 2019. This is their routine demand. We do not give any importance to this demand. The matter (Bengal violence) is going on in the High Court. The High Court is… pic.twitter.com/BXFXxrf7XQ
— ANI (@ANI) April 18, 2025
ભાજપ પર હુમલો કરતાં બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ભાજપ આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ યોગ્ય ઉકેલ લાવવાને બદલે રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશમાં છે.
તેમણે દાવો કર્યો કે, મુર્શિદાબાદની હિંસા ભાજપના ષડયંત્રનો ભાગ છે, જેનો હેતુ 2026ની ચૂંટણીમાં રાજ્યમાં સત્તા કબજે કરવાનો છે.












Click it and Unblock the Notifications
