ભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી અડવાણી-જોશીના નામ બાકાત રાખવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા માટે ભારતીય જનતા પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, યોગી આદિત્યનાથના નામ શામેલ છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીનું નામ આ યાદીમાંથી બાકાત છે.

જોશી-અડવાણીનું નામ લિસ્ટમાં નથી
ભાજપે સોમવારે પહેલા અને બીજા તબક્કાના પ્રચાર માટે પોતાના સ્ટાર કેમ્પેનર્સની યાદી જાહેર કરી જેમાં નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રામલાલ અને પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલ, કલરાજ મિશ્રા અને લક્ષ્મીકાંત વાજપેયી, શિવરાજ સિંહ ચૌહાણ, કેશવ પ્રસાદ મૌર્ય અને થાવર ચંદ્ર ગેહલોતના નામ પણ શામેલ છે પરંતુ આ લિસ્ટમાં વરુણ ગાંધી અને મેનકા ગાંધીનું નામ શામેલ નથી.
|
વરુણ ગાંધી અને મેનકા ગાંધીનું નામ પણ નહિ
આ યાદીમાં સંજીવ બાલિયાન, સુરેશ રાણા, શ્રીકાંત શર્મા, સ્વામી પ્રસાદ મૌર્ય, ચેતન ચૌહાણ, ધર્મસિંહ સૈની, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અશ્વિની ત્યાગી, રજનીકાંત માહેશ્વરી, અજય કુમાર અને ભવાની સિંહના નામ શામેલ છે. તમને જણાવી દઈએ કે ભાજપે આ ચૂંટણીમાં ઘણા વરિષ્ઠ નેતાઓની ટિકિટ કાપી છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયાની બરાબર પહેલા કલરાજ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી દીધી છે.

અડવાણીને પાર્ટીએ નહોતી આપી ગાંધીનગરથી ટિકિટ
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની પહેલી યાદીમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવી. ગાંધીનગર લોકસભા સીટથી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા રહ્યા છે. જો કે હવે ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારબાદ એવા સમાચાર
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
