નારાયણ રાણેનો ઠાકરે પર પ્રહાર, તમામ રહસ્યો જાહેર કરીશ-રાણે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ધરપકડ કરાયેલા ભાજપના નેતા નારાયણ રાણેએ જામીન પર છૂટ્યા બાદ શુક્રવારે રત્નાગિરીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં બોલતા ઠાકરે પર પ્રહાર કર્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ધરપકડ કરાયેલા ભાજપના નેતા નારાયણ રાણેએ જામીન પર છૂટ્યા બાદ શુક્રવારે રત્નાગિરીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં બોલતા ઠાકરે પર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમના પરિવાર પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું કે, તેમણે મને ધમકી આપી, 39 વર્ષથી મારા હૃદયમાં તમામ રહસ્યો દબાયેલા છે. હું એક પછી એક ખોલીશ.

Narayan Rane

મંત્રી નારાયણ રાણેએ આગળ કહ્યું કે, મેં તેમની સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે, હું ઘણું બધું જાણું છું. હું જાણું છું કે કોણે પોતાના ભાઈની પત્ની પર એસિડ ફેંક્યું. આ કેવા 'સંસ્કાર' છે?" નારાયણ રાણે આગળ કહ્યું, "જો તમે ધરપકડ કરવા માંગો છો તો હું ઘણા ખુલાસા કરીશ, હું ડરતો નથી. કાયદો તમારા અને મારા માટે સમાન છે.

પોતાની ધરપકડ અંગે બોલતા નારાયણ રાણેએ આરોપ લગાવ્યો કે શિવસેનાના નેતૃત્વવાળો વિપક્ષ તેના અને ભાજપ પ્રત્યે લોકોની પ્રતિક્રિયા સ્વીકારી શકતો નથી. તેથી જ મારી ધરપકડ કરી. 200 પોલીસકર્મીઓ મને પકડવા આવ્યા, શું કહેવું.

નારાયણ રાણે સાથે તેમના મોટા પુત્ર નિલેશ રાણે પણ હતા. નિલેશ રાણેએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે કોંકણ ક્ષેત્ર માટે સકારાત્મક કાર્ય અને વિકાસ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X