નરેન્દ્ર મોદી આજે બિહાર જશે, નિતિશની ધડકનો તેજ

પરંતુ નરેન્દ્ર મોદીના આગમનથી જેડીયૂના કાન ઉભાં કરી દિધાં છે કારણ કે આજે બિહારમાં નિતિશ કુમારની રેલી પણ છે જેમાં જેડીયૂ અંદરથી ભયભીત છે તેને ડર છે કે નિતિશને છોડીને નરેન્દ્ર મોદી આજના દિવસનું આકર્ષણ બની ન જાય કારણ કે નિતિશ કુમારે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને બિહાર આવવાની મનાઇ કરેલી છે.
પરંતુ હવે આ મામલો રાજકીય ન બનતાં ભાવાત્મક અને સંવેદનશીલ બની ગયો છે આવા સમયે નિતિશ કુમાર નરેન્દ્ર મોદીને આવતાં રોકી ન શકે. નરેન્દ્ર મોદી લગભગ એક કલાક સુધી પટણામાં રહેશે. ત્યારબાદ રાયપુર માટે રવાના થવાના છે. હાલમાં તો જેડીયૂની બેચેની વધી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી દરમિયાન નિતિશ કુમારે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીને બિહાર આવતાં રોક્યા હતા અને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી બિહાર આવશે તો તે ભાજપ સાથે ગઠબંધન તોડી દેશે.












Click it and Unblock the Notifications
