લોકસભા ચૂંટણી દરમિયાન 11 મિલિયન વાર ટ્વિટર પર નરેન્દ્ર મોદીનો થયો ઉલ્લેખ
નવી દિલ્હી, 15 મે: નરેન્દ્ર મોદી ના ફક્ત એક્ઝિટ પોલના આવેલા પરિણામો પોતાનો જલવો બતાવી રહ્યાં છે પરંતુ તેમણે માઇક્રો બ્લોલિંગ સાઇટ ટ્વિટરને પણ પોતાના જાદૂથી સંમોહિત કરી દિધી છે.
લોકસભા ચૂંટણી દરમિયાન આ માઇક્રો બ્લોલિંગ સાઇટ પર 56 મિલિયન એવી ટ્વિટ કરવામાં આવી છે જે ચૂંટણી સાથે જોડાયેલી છે તેમાં દરેક પાંચમી ટ્વિટમાં નરેન્દ્ર મોદીનો જ ઉલ્લેખ હતો.
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે માર્ચમાં પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરનાર નરેન્દ્ર મોદી હોઇ શકે છે 31 મેના રોજ દેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લે.
જાન્યુઆરી 2014થી 12 મે સુધી વચ્ચે લગભગ 11 મિલિયન વાર ટ્વિટર પર નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ થયો. આટલા જ સમયગાળામાં છ મિલિયન વખત ભાજપ વિશે લોકોએ ચર્ચા કરી.
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપ વિશે જ્યાં 15.2 મિલિયન વખત ઉલ્લેખ કરવામાં આવ્યો તો જ્યારે અરવિંદ કેજરીવાલ વિશે પાંચ મિલિયન ટ્વિટ્સમાં ચર્ચા કરવામાં આવી.

સિમ્પ્લીફાઇ 360 દ્વારા દેશના દેશના ત્રણ મોટા શહેરોમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર હાલના ટ્રેંડ વિશે રિસર્ચ કરવામાં આવી. સિમ્પલીફાઇ 26 દ્વારા સોશિયલ મીડિયા પર એક્ઝિટ પોલ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલમાં પણ ભાજપ અને નરેન્દ્ર મોદી બાજી મારતાં જોવા મળી રહ્યાં છે.
આ એજન્સી તરફથી એક વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપને દિલ્હીમાં સાતમાંથી છ સીટો મળશે, મુંબઇમાં સાતમાંથી પાંચ સીટો મળશે અને બેંગ્લોરમાં 4માંથી ત્રણ સીટો મળશે. કંપનીના અનુસાર આ એનાલિસિસ પાર્ટીઓ માટે ટ્વિટર પર જાહેર થનાર પોઝિટિવ મેંશનના આધાર પર કરવામાં આવ્યો છે.
જ્યાં નરેન્દ્ર મોદી ચૂંટણી સાથે જોડાયેલી લગભગ 20 ટકા ટ્વિટ્સનો ભાગ રહ્યો તો બીજી તરફ રાહુલ ગાંધી ફક્ત બે ટકા એટલે કે 1.3 મિલિયન ટ્વિટ્સનો ભાગ બની શકે છે. ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયેલ રાહીલ ખુર્શીદ જો કે હેડ ઓફ ન્યૂઝ છે કહે છે કે લોકસભા ચૂંટણી ભારતમાં સાર્વજનિક ચર્ચાનો ભાગ બની રહ્યાં છે.












Click it and Unblock the Notifications
