પટણા: રાજનારાયણના પરિવારને મળ્યા મોદી, પાંચ લાખનો ચેક આપ્યો
પટણા, 2 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બિહારની રાજધાની પટણાના ગૌરીચકમાં સીરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ ઉપરાંત મોદીએ તેમના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો અને સરકારી નોકરી અપાવવા માટેનું આશ્વાસન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન છયેલા 6 સીરિયલ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. આજે નરેન્દ્ર મોદી મૃતકોના પરિવારોને મળવા માટે પટણામાં આવી પહોંચ્યા છે. મોદી ગૌરીચક (પટણા), કૈમૂર, ગોપાલગંજ, સુપૌલ, બેગૂસરાય, નાલંદાનો પ્રવાસ ખેડશે.
નરેન્દ્ર મોદી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના ગામ કમરજી, વિકાસ કુમાર સિંહના ગામ કરમચંદ્ર, નિશિજા, ગોપાલગંજના મુના શ્રીવાસ્તવના ગામ બરી ધનેષ, સુપૌલના ભરત રજકના ગામ સિમરાહી, રાઘોપુર, બેગૂસરાયના બિંદેશ્વરી ચૌધરીના ગામ તારાબરિયારપુર અને નાલંદાના રાજેશ કુમારના ગામ અહિયાપુર મુશહરીના પરિવારને પણ મળશે.
નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે પોતાના વિશેષ વિમાનથી પટણા આવી પહોંચ્યા હતા. પટણામાં તેમના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્રે તેઓ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા પીડિત પરિવારને સહાયતા રાશિ આપશે. નરેન્દ્ર મોદીએ ગૌરીચકથી પોતાની યાત્રા શરૂ કરી દીધી છે.
ગૌરીચકમાં રાજનારાયણ સિંહના પરિવારને મોદી મળ્યા અને તેમને પાંચ લાખનો ચેક આપ્યો હતો. જયનારાયણના પુત્રએ મીડિયાને જણાવ્યું કે મોદીએ સારી રીતે વાત કરી અને અમે તેમને ખુર્શી પર બેસવાનું કહ્યું તો પણ તેઓ નીચે જમીન પર બેસી ગયા. અને તેમણે મને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

મોદી મળ્યા પટણા વિસ્ફોટના પીડિત પરિવારને
પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા.
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ..
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત





Click it and Unblock the Notifications
