સો મણનો સવાલ : PM નહીં બની શકે, તો શું કરશે નરેન્દ્ર મોદી?
લોકસભા ચૂંટણી 2014 તેના અંતિમ તબક્કામાં છે. માત્ર બે સપ્તાહ બાદ દેશને નવા સૂકાની મળી જશે. જો કે આ સૂકાની કોણ હશે તે રહસ્ય 16 મે, 2014ના રોજ ખુલશે. એક તરફ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે તે તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી છે. બીજી તરફ મોદી વિરોધીઓનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની લહેરની વાતો હવા છે.
આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉઠે છે કે જો નરેન્દ્ર મોદી દેશના નવા વડાપ્રધાન બની ગયા તો બધું જ જેમ ગોઠવાયું હતું તે સફળ થયું છે. પરંતુ જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાથી ચૂકી ગયા તો શું? દિલ્હીની ગાદી મોદીને નહીં મળો તો મોદી શું કરશે?
આવું થાય તો નરેન્દ્ર મોદી ફરીથી પોતાનો ગુજરાત રાગ આલાપશે અને મુખ્યમંત્રી તરીકે પોતાનું કામ આગળ ચલાવશે? કે પછી તેઓ કેન્દ્રીય રાજકારણમાં ઝંપલાવીને વધારે સક્રિય રીતે પોતાનું કરિયર આગળ વધારશે? આવા અનેક પ્રશ્નો છે જેના અંગેનો વિચાર ભાજપે હજી સુધી કર્યો નથી. શું છે આવા પ્રશ્નો અને શું છે નરેન્દ્ર મોદીનો ફ્યુચર પ્લાન તે જાણીએ...

મોદી સામે અન્ય વિકલ્પો ખુલ્લા
કોઇ કારણથી નરેન્દ્ર મોદી પીએમ બની શક્યા નહીં તો તેમના માટે અન્ય રસ્તા પણ મોકળા છે. સૌથી સરળ રસ્તો ગુજરાત પાછા ફરવાનો છે. તેઓ ગુજરાતમાં પોતાનું મુખ્યમંત્રી તરીકેનું કામ ચાલુ રાખી શકે છે.

લોકસભામાં વિપક્ષના નેતા બનશે?
નરેન્દ્ર મોદી પીએમ બની શકતા નથી તો ગુજરાત પાછા ફરવાને બદલે વિપક્ષના નેતા બનીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો દબદબો વધારવા વિપક્ષના નેતા બની શકે છે. જો કે આ માટે તેમણે સાંસદ બન્યા બાદ મુખ્યમંત્રી પદ છોડવું પડી શકે છે.

ભાજપ પાસે કોઇ પ્લાન નથી
નરેન્દ્ર મોદી પીએમ બની ના શક્યા તો ભાજપ શું કરશે તે અંગે તેની પાસે કોઇ જ પ્લાન નથી, કારણ કે ભાજપ નરેન્દ્ર મોદીના પીએમ બનવા સિવાય કશું જ વિચાર્યું નથી.

મહત્વકાંક્ષાઓ પૂરી કરશે
નરેન્દ્ર મોદી અત્યંત મહત્વકાંક્ષા ધરાવે છે. પીએમ નહીં બને તો સીએમ બનીને પોતાની મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરીને રાજ્યને આગળ લાવશે.

ચકોર રાજકારણી
નરેન્દ્ર મોદી રાજકારણના ચકોર ખેલાડી છે. તેઓ કોઇ પણ નિર્ણય લેતા સમયે તેની અસરો અંગે ચોક્કસ વિચાર કરતા હોય છે. આ જ કારણે પીએમ બની ના શકાય તો શું કરવું તે તેમણે વિચારી રાખ્યું હશે.

પાર્ટીમાં સૌથી દમદાર ચહેરો
ભાજપમાં સૌથી દમદાર નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે એમ સૌનું માનવું છે. આ જ કારણે પાર્ટી તેમને હાંસિયામાં ધકેલી દઇ શકે તેમ નથી. તેમની ટીકાઓ કરવામાં આવે છે પણ તેઓ તેની ચિંતા કરતા નથી.

મોદી છે સક્ષમ
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી 2014 નરેન્દ્ર મોદી માટે પીએમ બનવાની પહેલી અને છેલ્લી તક છે. નરેન્દ્ર મોદી પાર્ટીના સક્ષમ નેતા છે જેના કારણે સમગ્ર ચૂંટણી તેમના પર જવાબદારી ઢોળીને લડવામાં આવી રહી છે. જો નિષ્ફળતા મળશે તો તેના માટે પણ મોદીને જ જવાબદાર ઠેરવવામાં આવશે.

સત્તાની લાલસા
જો નરેન્દ્ર મોદી પીએ બની શક્યા નહીં તો તેમનો વિરોધ કરનારાઓને એક મુદ્દો મળી જશે. જેનો જવાબ ખુદ મોદી પાસે નથી.

રાહ હશે મુશ્કિલ પણ મોદી ચાલશે
જો નરેન્દ્ર મોદી પીએમ બની શકશે નહીં તો પણ તેમનો પ્લસ પોઇન્ટ સતત 3 વાર ગુજરાતના સીએમ બનવાનો છે. જો કે આ મુદ્દે તેમને ભાજપમાં જ શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર પારિકર જેવા નેતાઓ આપી શકે છે. આમ છતાં મોદી હાર માને તેવા નેતા નથી.
PM નહીં બની શકે તો નરેન્દ્ર મોદી શું કરશે?
મોદી સામે અન્ય વિકલ્પો ખુલ્લા
કોઇ કારણથી નરેન્દ્ર મોદી પીએમ બની શક્યા નહીં તો તેમના માટે અન્ય રસ્તા પણ મોકળા છે. સૌથી સરળ રસ્તો ગુજરાત પાછા ફરવાનો છે. તેઓ ગુજરાતમાં પોતાનું મુખ્યમંત્રી તરીકેનું કામ ચાલુ રાખી શકે છે.
લોકસભામાં વિપક્ષના નેતા બનશે?
નરેન્દ્ર મોદી પીએમ બની શકતા નથી તો ગુજરાત પાછા ફરવાને બદલે વિપક્ષના નેતા બનીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો દબદબો વધારવા વિપક્ષના નેતા બની શકે છે. જો કે આ માટે તેમણે સાંસદ બન્યા બાદ મુખ્યમંત્રી પદ છોડવું પડી શકે છે.
ભાજપ પાસે કોઇ પ્લાન નથી
નરેન્દ્ર મોદી પીએમ બની ના શક્યા તો ભાજપ શું કરશે તે અંગે તેની પાસે કોઇ જ પ્લાન નથી, કારણ કે ભાજપ નરેન્દ્ર મોદીના પીએમ બનવા સિવાય કશું જ વિચાર્યું નથી.
મહત્વકાંક્ષાઓ પૂરી કરશે
નરેન્દ્ર મોદી અત્યંત મહત્વકાંક્ષા ધરાવે છે. પીએમ નહીં બને તો સીએમ બનીને પોતાની મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરીને રાજ્યને આગળ લાવશે.
ચકોર રાજકારણી
નરેન્દ્ર મોદી રાજકારણના ચકોર ખેલાડી છે. તેઓ કોઇ પણ નિર્ણય લેતા સમયે તેની અસરો અંગે ચોક્કસ વિચાર કરતા હોય છે. આ જ કારણે પીએમ બની ના શકાય તો શું કરવું તે તેમણે વિચારી રાખ્યું હશે.
પાર્ટીમાં સૌથી દમદાર ચહેરો
ભાજપમાં સૌથી દમદાર નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે એમ સૌનું માનવું છે. આ જ કારણે પાર્ટી તેમને હાંસિયામાં ધકેલી દઇ શકે તેમ નથી. તેમની ટીકાઓ કરવામાં આવે છે પણ તેઓ તેની ચિંતા કરતા નથી.
મોદી છે સક્ષમ
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી 2014 નરેન્દ્ર મોદી માટે પીએમ બનવાની પહેલી અને છેલ્લી તક છે. નરેન્દ્ર મોદી પાર્ટીના સક્ષમ નેતા છે જેના કારણે સમગ્ર ચૂંટણી તેમના પર જવાબદારી ઢોળીને લડવામાં આવી રહી છે. જો નિષ્ફળતા મળશે તો તેના માટે પણ મોદીને જ જવાબદાર ઠેરવવામાં આવશે.
સત્તાની લાલસા
જો નરેન્દ્ર મોદી પીએ બની શક્યા નહીં તો તેમનો વિરોધ કરનારાઓને એક મુદ્દો મળી જશે. જેનો જવાબ ખુદ મોદી પાસે નથી.
રાહ હશે મુશ્કિલ પણ મોદી ચાલશે
જો નરેન્દ્ર મોદી પીએમ બની શકશે નહીં તો પણ તેમનો પ્લસ પોઇન્ટ સતત 3 વાર ગુજરાતના સીએમ બનવાનો છે. જો કે આ મુદ્દે તેમને ભાજપમાં જ શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર પારિકર જેવા નેતાઓ આપી શકે છે. આમ છતાં મોદી હાર માને તેવા નેતા નથી.












Click it and Unblock the Notifications
