PMOમાં પણ ધ્યાનથી સંભળાઇ રહ્યું હતું મોદીનું ભાષણ!

pm modi
નવી દિલ્હી, 9 એપ્રિલ: પીએમ ઓફીસમાંથી મોદીના ભાષણ બાદ તુરંત ખુલાસો આવ્યો કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ રાજ્ય સાથે ભેદભાવ રાખવામાં આવ્યો નથી. તેમજ તે વિકાસ માટે દરેક રાજ્યને જરૂરિયાત પ્રમાણે સગવડો ઉપલબ્ધ કરાવે છે. પીએમ ઓફીસમાંથી આ ખુલાસો નરેન્દ્ર મોદીના ભાષણ બાદ તુરંત આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ પોતાનું વક્તવ્ય શાર્પ 12 વાગ્યે પૂર્ણ કર્યું, ત્યારબાદ તેમણે ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

આ દરમિયાનમાં તુરંત જ 12 વાગ્યાને 30 મિનિટે પ્રધાનમંત્રી ઓફીસમાંથી એવો ખુલાસો આવ્યો કે કેન્દ્ર સરકાર કોઇપણ રાજ્ય સાથે ભેદભાવ રાખતી નથી. બલકે તે વિકાસ માટે દરેક રાજ્યને તેમની જરૂરિયાત પ્રમાણે સગવડો પૂરી પાડે છે. એક ખાનગી ટીવી ચેનલના અહેવાલ પ્રમાણે પીએમઓ તરફથી ટ્વિટર પર આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને મોદીના આક્ષેપોને નકારવામાં આવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા ખાતે 'વાઇબ્રન્ટ ગ્રોથ મોડેલ' પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતના વિકાસ મોડેલ પર ચર્ચા કરવાની સાથે સાથે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે યુપીએ સરકાર દેશના રાજ્યો સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે જેના પગલે તેમના સપનાઓ ચૂરચૂર થઇ જાય છે. જો તમે યુપીએ રાજ્ય હશો તો તમને સારી ટ્રીટમેન્ટ અને નોનયુપીએ રાજ્યને અલગ ટ્રીટમેન્ટ મળશે.

મજાની વાત એ છે કે મોદીના ભાષણ બાદ પીએમ તરફથી તુરંત પ્રતિક્રિયા આવતા એ બાબત સાબિત કરે છે કે દેશના પ્રધાનમંત્રી સહિતના નેતાઓ પણ પોતપોતાના કાર્યાલયમાં બેસીને નરેન્દ્ર મોદીના ભાષણને સાંભળવામાં વ્યસ્ત હતા. એટકે કે સામાન્ય વ્યક્તિ, મીડિયા, પક્ષ અને વિપક્ષ દરેકજણ હવે મોદીના ભાષણ અચૂક સાંભળવાના આદી બની ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X