કેન્દ્ર માટે ‘રાહત’ મોદી નહીં આવે રાષ્ટ્રિય એકતા પરિષદમાં
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીમા આજે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ એકતા પરિષદની બેઠક મળી રહી છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લેવાના છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેવા માટે જવાના નથી. આ બેઠક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના ત્રણ અઠવાડિયા પછી મળી રહી છે. જેમાં 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ બેઠકમાં દેશમાં હાલમાં સાંપ્રદાયિક હિંસાના મામલાઓ પર વિચાર કરવામાં આવશે. ખાસ કરીને મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાને લઇને બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુઝફ્ફરનગર હિંસાને લઇને બેઠકમાં હંગામો થાય તેવી શંકા પણ સેવાઇ રહી છે.












Click it and Unblock the Notifications
