Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્ર માટે ‘રાહત’ મોદી નહીં આવે રાષ્ટ્રિય એકતા પરિષદમાં

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીમા આજે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ એકતા પરિષદની બેઠક મળી રહી છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લેવાના છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેવા માટે જવાના નથી. આ બેઠક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના ત્રણ અઠવાડિયા પછી મળી રહી છે. જેમાં 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

narendra-modi
પ્રદાનમંત્રી મનમોહન સિંહની અધ્યક્ષતામાં રાષ્ટ્રિય એકતા પરિષદની બેઠક, સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલા બિલ પર ચર્ચા થશે, પરંતુ બેઠકમાં મોદી નહીં આવવાના કારણે કેન્દ્ર સરકાર માટે એક રીતે આ રાહતના સમાચાર પણ માનવામાં આવી રહ્યાં છે, કારણ કે, મોદી દ્વારા સતત કેન્દ્રની નીતિઓ પર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે અને આ બેઠકમાં જો તેઓ હાજરી આપત તો કેન્દ્ર સરકારને તેઓ આ પરિષદમાં પણ તમામ મોરચે ઘેરી લેત તેવી સંભાવનાઓ સેવવામાં આવી રહી હતી.

આ બેઠકમાં દેશમાં હાલમાં સાંપ્રદાયિક હિંસાના મામલાઓ પર વિચાર કરવામાં આવશે. ખાસ કરીને મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાને લઇને બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુઝફ્ફરનગર હિંસાને લઇને બેઠકમાં હંગામો થાય તેવી શંકા પણ સેવાઇ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X