બિહાર થયું માલામાલ, પીએમએ આપ્યું સવા લાખનું વિશેષ પેકેજ
બિહારમાં હાઇ વેના શિલાન્યાસ સાથે ચૂંટણીનું બ્યુગલ ફૂંકનાર નરેન્દ્ર મોદીએ બિહારમાં સ્કિલ ડેવલપમેન્ટની યોજનાને રાજ્યમાં સારી રીતે લાગુ કરવા પર જોર આપ્યું. સાથે જ આ પ્રસંગે મોદીએ બિહારને સવા લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ પણ આપ્યું.
નોંધનીય છે કે આ રેલીના પહેલા આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો તેમ છતાં મોટી સંખ્યામાં લોકો આ જનસભામાં મોદીને સાંભળવા માટે હાજર રહ્યા હતા. સાથે જ આ પ્રસંગે મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પણ નિશાનો તાંકવાનું ના ચૂક્યાં.
મોદીનો નિતિશ પર હુમલો
મોદીએ કહ્યું કે નીતીશ કુમાર હંમેશા કહે છે બિહાર બિમાર રાજ્ય નથી તો વારંવાર મદદ કેમ માંગો છો? વળી નિતિશ પર આરોપ લગાવતા મોદીએ કહ્યું કે અહીંના મુખ્યમંત્રી તેમના રાજનૈતિક આંકડા માટે બિહારના માન સન્માનને દાવ પર લગાવ્યું છે.
ત્યારે મોદીના આ ભાષણના કેટલાક ખાસ મુખ્યબિંદુઓ નીચે મુજબ છે...

1
1.9700 કરોડની સડક પરિયોજના દેશની ઔદ્યોગિક ક્રાંતિને બિહારથી જોડશે.
2. બિહારનું ભાગ્ય બદલાવાનું છે. કારખાના સાથે જ સ્કિલ ડેવલપમેન્ટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેથી લોકોને રોજગાર મળે.

2
3. વિજળી વિના કારખાના બેકાર છે. બિહારને વિજળી આપવી માટે અમે સંકલ્પબદ્ધ છીએ.
4. બિહાર માટે વિશેષ પેકેજના રૂપમાં હું 50 હજાર નહીં, 70 હજાર પણ નહીં, કુલ સવા લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરું છું.

3
5. 8000 કરોડ રૂપિયા બચ્યા છે, 12 હજાર કરોડ રાષ્ટ્રિય રાજમાર્ગો માટે, કારખાના માટે 20 હજાર કરોડ બચ્યા છે.
6. બિહારના ખાતામાં હવે લગભગ 1 લાખ 65 હજાર કરોડ રૂપિયા હશે. હવે વિકાસને કોઇ રોકી નહીં શકે.
7. હવે કહો દિલ્હીની પાછલી સરકારે બિહાર માટે શું કર્યું? અમે અમે શું કરી રહ્યા છીએ!

નીતિશ પર હુમલો
1. બિહારનું સ્વાભિમાન શું છે, ગૌરવ છું તે અહીંના મુખ્યમંત્રી નથી જાણતા.
2. પાછલી સરકારે ચોકલેટની સિવાય અહીં કશું જ નથી આપ્યું. ઠીક તેવી રીતે જ્યારે રોતા બાળકને લોકો આપે છે.

નીતિશ પર હુમલો
અત્યાર સુધી ખાલી ચાર હજાર કરોડ રૂપિયા જ ખર્ચ થયા છે. અને આ ચાર હજારમાં 2013-2014માં મામૂલી ખર્ચો થયા છે.

નીતિશ પર હુમલો
8 હજાર કરોડ રૂપિયા તિજોરીમાં બંધ પડ્યા છે. પણ નિતિશ કુમાર તેને ખર્ચ નહીં કરી શકે.

નીતિશ પર હુમલો
જે પણ ખર્ચ કરવામાં આવ્યો તે પણ દિલ્હીમાં સરકારના બદલ્યા બાદ જ થયો છે.












Click it and Unblock the Notifications
