વારાણસીથી મોદીનું એલાન એ જંગ, સામે હશે બાહુબલી અતીક અહમદ

નવી દિલ્હી, 16 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેઠક નક્કી થઇ ગઇ છે અને આ સાથે જ મોદી ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી વારાણસી સંસદીય બેઠકથી મોદીએ એલાન એ જંગ કરી નાંખ્યું છે. રસપ્રદ વાત એ છે કે જો વારાણસીના બાહુબલી ધારાસભ્ય પોતાની વાતથી ફરશે નહીં તો તે જંગમાં મોદીને ટક્કર આપશે. હાલ વારાણસીના સાંસદ મુરલી મનોહર જોશી કાનપુરથી ચૂંટણી લડશે.

narendra-modi-other-leaders
ભાજપે શનિવારે આખો દિવસ ચાલેલી બેઠક બાદ ઉત્તર પ્રદેશની 62ની બેઠકોના ઉમેદવારો જારી કર્યા. વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં ભાજપના એક નેતાએ જણાવ્યું હતુ કે યાદી તૈયાર થઇ ચુકી છે અને ટૂંક સમયમાં તેને મીડિયામાં જારી કરી દેવામાં આવશે. જોશી વારાણસીની બેઠક છોડવા તૈયાર નહોતા, પરંતુ ભાજપના તમામ નેતાઓ ઇચ્છતા હતા કે મોદી ત્યાંથી જ ચૂંટણી લડે, તેથી બધાએ એક મત થઇને મોદીને વારાણસીથી ટીકીટ આપી. જેનો અર્થ એ છે કે મોદી જીત્યા બાદ ત્રિવેણી એક્સપ્રેસમાં બેસીને વારાણસીથી દિલ્હી જશે.

જો વિરોધીઓની વાત કરીએ તો મોદીને ટક્કર આપવાનું એલાન સપાના ધારાસભ્ય અતીક અહમદ કરી ચૂક્યા છે, જે હાલ જેલમાં છે. તેમણે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો મોદી વારાણસથી ચૂંટણી લડશે તો તેઓ પણ ત્યાંથી જ ચૂંટણી લડશે.

મોદીને ટીકીટને લઇને જે મોડુ થયું છે તેનાથી ભાજપને થોડુક નુક્શાન થયું છે. ટીકીટને લઇને મોડું કરવામાં આવતા વિપક્ષી દળોએ જનતા વચ્ચે એ ખબર ફેલાવી દીધી છે કે મોદી યુપીની બેઠક પરથી લડતા ડરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X