નરેન્દ્ર મોદી હીરાબાને પગે લાગ્યા, તો કેજરીવાલને પેટમાં દુખ્યું
કેજરીવાલે નરેન્દ્ર મોદીના ટ્વીટને લઇ તેમની પર પ્રહાર કરતાં કહ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું, રોજ તેમના આશીર્વાદ લઉં છું, પરંતુ એ અંગે બડાઇ નથી હાંકતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકાના ભોગ બનવાનો વારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવ્યા છે. હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે વિવિધ દેશોના ડેલિગેટ્સ સાથેની મીટિંગમાં વ્યસ્ત છે. આજે તેમની ગુજરાત યાત્રાનો બીજો દિવસ છે અને તેમણે આજના દિવસની શરૂઆત પોતાના માતા હીરાબાના આશીર્વાદથી કરી છે.

અહીં વાંચો - જવાન તેજ બહાદુરના વીડિયો પર BSF નું નિવેદન, જાણો શું કહ્યું
નરેન્દ્ર મોદીએ આજે સવારે પોતાના યોગનો કાર્યક્રમ જતો કરી એ સમય દરમિયાન ગાંધીનગર પાસે રાયસણ ખાતે રહેતાં પોતાના માતાની મુલાકાત લીધી હતી અને તેમની સાથે જ ચા-નાસ્તો કર્યો હતો. પીએમ મોદીએ જાતે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.
Skipped Yoga & went to meet mother. Before dawn had breakfast with her. Was great spending time together.
— Narendra Modi (@narendramodi) January 10, 2017
કેજરીવાલે નરેન્દ્ર મોદીના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં બે ટ્વીટ લખ્યાં છે. એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'હું મારા માતા સાથે રહું છું અને રોજ તેમના આશીર્વાદ લઉં છું, પરંતુ એ અંગે બડાઇ નથી હાંકતો. હુ રાજકારણ માટે મારા માતાને બેન્કની લાઇનમાં પણ નથી ઊભા રાખતો.'
मैं अपनी माँ के साथ रहता हूँ, रोज़ उनका आशीर्वाद लेता हूँ लेकिन ढिंढोरा नहीं पीटता। मैं माँ को राजनीति के लिए बैंक की लाइन में भी नहीं लगाता https://t.co/CT243GCiaC
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 10, 2017
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના માતા હીરાબા, કે જેઓ 97 વર્ષનાં છે, તેઓ નોટબંધીના નિર્ણય બાદ બેન્કની લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તેઓ જૂની ચલણી નોટો બદલાવવા માટે બેન્ક ગયા હતા.
ત્યારબાદ અન્ય એક ટ્વીટ કરતાં કેજરીવાલે લખ્યું કે, 'હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે ઘરડી માતા અને ધર્મપત્નીને પોતાની સાથે રાખવા જોઇએ. PM આવાસ ખૂબ મોટું છે, થોડું હૃદય પણ મોટું રાખો.'
हिंदू धर्म और भारतीय संस्कृति कहती है कि आपको अपनी बूढ़ी माँ और धर्मपत्नी को अपने साथ रखना चाहिए। PM आवास बहुत बड़ा है, थोड़ा दिल बड़ा कीजिए https://t.co/CT243GTTzc
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 10, 2017
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
