જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે આપ્યુ રાજીનામુ, દેવાળિયા થવાની તૈયારીમાં
ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે.
દેવાળિયા થવાની તૈયારીમાં પહોંચેલી એરલાઈન જેટ એરવેઝ વિશે જાણકારી સામે આવી છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારબાદ નરેશ ગોયલે પોતાના કર્મચારીઓના નામ એક પત્ર લખીને કહ્યુ કે તે કોઈ પણ બલિદાન માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે એરલાઈનને ડૂબવાથી રોકવા માટે તે માલિકી પરિવર્તન યોજનાનો હિસ્સો છે.

એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર આજે થઈ રહેલી બેઠકમાં દેવાદાર 1500 કરોડ રૂપિયાના ઈમરજન્સી ફંડને પણ મંજૂરી આપશે. વળી હાલમાં લંડનમાં રહી રહેલા નરેશ ગોયલ વીડિયો કોન્ફરન્સ દ્વારા 23,000 કર્મચારીઓને સંબોધિત કરવાના પણ સમાચાર હતા. આ ઉપરાંત મિંટના એક રિપોર્ટની માનીએ તો જેટ એરવેઝને બચાવવાના છેલ્લો વિકલ્પ નક્કી કરવા માટે 31 માર્ચના રોજ એતિહાદ એરવેઝની મીટિંગ થવાની છે.
એરલાઈન માટે નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવી શકે છે જેમાં નવા બોર્ડ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સંભવ છે. બોર્ડની મંજૂરીની તરત બાદ આ યોજનાને ઈમ્પ્લીમેન્ટ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબે કંપનીમાં રહેશે. ગયા એક અઠવાડિયામાં લેણદારોએ નરેશ ગોયલની 51 ટકા ભાગીદારી અને નવા ખરીદારોની શોધની વાત કહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
