જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે આપ્યુ રાજીનામુ, દેવાળિયા થવાની તૈયારીમાં
ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે.
દેવાળિયા થવાની તૈયારીમાં પહોંચેલી એરલાઈન જેટ એરવેઝ વિશે જાણકારી સામે આવી છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે આજે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારબાદ નરેશ ગોયલે પોતાના કર્મચારીઓના નામ એક પત્ર લખીને કહ્યુ કે તે કોઈ પણ બલિદાન માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યુ છે કે એરલાઈનને ડૂબવાથી રોકવા માટે તે માલિકી પરિવર્તન યોજનાનો હિસ્સો છે.

એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર આજે થઈ રહેલી બેઠકમાં દેવાદાર 1500 કરોડ રૂપિયાના ઈમરજન્સી ફંડને પણ મંજૂરી આપશે. વળી હાલમાં લંડનમાં રહી રહેલા નરેશ ગોયલ વીડિયો કોન્ફરન્સ દ્વારા 23,000 કર્મચારીઓને સંબોધિત કરવાના પણ સમાચાર હતા. આ ઉપરાંત મિંટના એક રિપોર્ટની માનીએ તો જેટ એરવેઝને બચાવવાના છેલ્લો વિકલ્પ નક્કી કરવા માટે 31 માર્ચના રોજ એતિહાદ એરવેઝની મીટિંગ થવાની છે.
એરલાઈન માટે નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવી શકે છે જેમાં નવા બોર્ડ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સંભવ છે. બોર્ડની મંજૂરીની તરત બાદ આ યોજનાને ઈમ્પ્લીમેન્ટ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે જેટ એરવેઝના સીઈઓ વિનય દૂબે કંપનીમાં રહેશે. ગયા એક અઠવાડિયામાં લેણદારોએ નરેશ ગોયલની 51 ટકા ભાગીદારી અને નવા ખરીદારોની શોધની વાત કહી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
