NCB ચીફ સમીર વાનખેડેએ નકલી સર્ટિફિકેટથી મેળવી નોકરીઃ નવાબ મલિક

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ નકલી બર્થ સર્ટિફિકેટ બતાવીને નોકરી મેળવી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ નકલી બર્થ સર્ટિફિકેટ બતાવીને નોકરી મેળવી છે. તેમણે કહ્યુ કે, 'સમીર વાનખેડેએ નકલી દસ્તાવેજોના આધારે એક દલિત વ્યક્તિનો અધિકાર છીનવ્યો છે. વાનખેડેની બહેનનુ સર્ટિફિકેટ ઓનલાઈન છે પરંતુ વાનખેડનુ સર્ટિફિકેટ ઓનલાઈન મળતુ નથી. વાનખેડે મુસ્લિમ છે અને તેમના પર લાગેલા આરોપો સાચા છે.'

nawab malik

નવાબ મલિકે જણાવ્યુ કે જે વ્યક્તિ નકલી સર્ટિફિકેટ બનાવીને અનુસૂચિત જાતિ દ્વારા નોકરી મેળવતો હોય. તેણે ગરીબનો હક તો માર્યો જ છે. મુંબઈમાં બર્થ સર્ટિફિકેટ ઑનલાઈન મળી જાય છે. વાનખેડેની બહેનનો સર્ટિફિકેટ ઑનલાઈન મળે છે પરંતુ સમીરનુ નથી. સમીરના પિતા જન્મથી દલિત હતા પરંતુ બાદમાં લગ્ન બાદ ધર્મ પરિવર્તન કર્યુ. ત્યારબાદ બધા લોકો મુસ્લિમ ધર્મ અનુસાર રહ્યા. બાદમાં નોકરી માટે દલિતનુ સર્ટિફિકેટ લગાવ્યુ. જો આ નકલી સર્ટિફિકેટ હોય તો સમીર વાનખેડે પોતાનુ બર્થ સર્ટિફિકેટ રાખે,. પોતાના પિતાનુ નહિ. જ્યારે કોઈ મુસ્લિમ કે કોઈ પણ ધર્મ પરિવર્તન કરે છે, તો તેને જૂની જાતિ સાથે કોઈ લેવા-દેવા નથી હોતુ. તેમ છતાં અનામતનો ઉપયોગ કર્યો.

નવાબ મલિકે જણાવ્યુ કે જ્ઞાનેશ્વર વાનખેડે અનુસૂચિત જાતિના છે અને તેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા તો તેમણે મુસ્લિમ ધર્મનુ જ પાલન કર્યુ. મને લાગે છે કે આ નકલી પ્રમાણપત્ર બતાવીને સમીર વાનખેડેએ યોગ્ય અનુસૂચિત જાતિના ઉમેદવારનો અધિકાર છીનવી લીધો છે. પ્રભાકર સઈલની જેમ બીજા સાક્ષીઓ પણ મારી પાસે આવ્યા છે. તેણે જે માહિતી આપી એવી જ માહિતી આ પત્રમાં છે. માટે મારુ માનવુ છે કે આ એનસીબીમાંથી આવેલો પત્ર છે.

વધુમાં નવાબ મલિકે પ્રેસ કૉન્ફરન્સમાં આગળ કહ્યુ કે હું નથી કહેતો કે તમે તરત કાર્યવાહી કરો, તમે તપાસ કરો, તેમાં જે માહિતી આવે તેના આધારે કાર્યવાહી કરો. આ સર્ટિફિકેટને લઈને ઘણા દલિત સંગઠન મને ફોન કરી રહ્યા છે. તે આ પ્રમાણપત્રની કાયદેસરતા માટે અપીલ કરી શકે છે. જો કોઈ લાગતુ હોય કે આ નકલી સર્ટિફિકેટ છે તો તેના પરિવારે ઓરિજિનલ બતાવવુ જોઈએ। આ મુદ્દો જલ્દી કાયદેસરતા સમિતિ પાસે જશે. આ પત્રમાં તેમણે એનસીબીના કામકાજ અને ઈમાનદાર અધિકારીઓને કેવી રીતે દબાવવામાં આવે છે તેના વિશે પણ વિસ્તારથી જણાવ્યુ છે. આ પત્ર અમે ડીજીને મોકલી રહ્યા છે.

તેમણે આગળ કહ્યુ કે સેઠના અદાલતમાં કહે છે આ નવાબ મલિકનો મામલો છે. અદાલતે કહ્યુ કે નવાબ મલિકને કોઈ કેસ સાથે લેવા-દેવા નથી. એનસીબીને નવાબ મલિકનો શું ડર છે, મારી લડાઈ એનસીબી સાથે નથી. તેમના અમુક અધિકારીઓ સાથે છે. મારી લડાઈ સત્ય માટે છે, જે મારી સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે, તેમનુ સ્વાગત છે. હું દાઉદ વાનખેડેને પડકારુ છુ કે સેક્શન 499 અને 500 હેઠળ મારા પર કાર્યવાહી કરે. હું કોઈના અંગત જીવનમાં નથી જઈ રહ્યો પરંતુ જો કોઈની બોગસ માહિતી હશે તો તેને પ્રકાશમાં લાવવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X