નવો વિવાદ : ગાંધીજીના અંતિમ શબ્દો હે રામ નહીં હાય રામ હતા

'ભગવા'માં લખ્યું છે કે, 'ગાંધીજીએ મરતા પહેલા 'હે રામ' કહ્યું હતું એ વાત સાચી નથી કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ઇજા થાય છે તો એ વ્યક્તિ 'હે' નહિ પણ 'હાય' બોલે છે. જ્યારે કોઈના શરીરમાં ગોળી વાગે છે તો યાતનાના કારણે એના મુખેથી માત્ર 'હાય' શબ્દ જ નીકળે છે 'હે રામ' શબ્દ નીકળવો મુશ્કેલ બની જાય છે.'
નવલકથામાં લેખક અને સંઘના વરિષ્ઠ કાર્યકર્તા વચ્ચેનો આ પ્રસંગ છે. સંઘના કાર્યકર્તાના હવાલાથી એમાં એ પણ લખવામાં આવ્યું હતું કે કેટલાક રાજકારણીઓએ અને મહિમામંડિત માટે ગાંધીજીના મોઢે આ શબ્દો મૂકી દીધા હતા. જો કે, હિંદીના જાણીતા વિવેચક નામધારી સિંહે કહ્યું હતુ કે, ગાંધીજી માત્ર 'રામ' શબ્દ જ બોલતા 'હાય રામ'ની વાત ખોટી છે એમણે માત્ર 'રામ' શબ્દ ઉચ્ચાર્યો હતો.












Click it and Unblock the Notifications
